SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચાર 57. અગાઉની જેમ જ પ્રશ્ન પૂછવો જોઈએ કે અનુમાન પણ શેનું પ્રામાણિયા જ છેજ્ઞાનનું કે વિષયપ્રકાશનરૂપ તેના ફળનું ? ફળના પ્રામાનો નિશ્ચય માટે કોઈ લિંગુ જ અમને જણાતું નથી. પરંતુ જ્ઞાતાના વ્યાપારરૂપ જ્ઞાનનું લિંગ તો તે જ્ઞાનનું કાર્ય બને. કેવળ ક્રિયા સાથે ફળની વ્યાપ્તિ ગૃહીત થતી હોવાને લીધે ક્રિયાના અસ્તિત્વમાત્રનું અનુમાન કરાવવા કાર્યરૂ૫ ફળ પ્રવૃત્ત થાય પરંતુ ક્રિયાના (=જ્ઞાનરૂપ વ્યાપારના ) યથા + તારૂપ પ્રામાયનું અનુમાન કરાવવા તે પ્રવૃત્ત થઈ શકે નહિ. [ માની લઈએ કે ફળ ક્રિયાના પ્રામાયનું અનુમાન કરાવવા પ્રવૃત્ત થઈ શકે છે, પણ તે પ્રશ્ન ઉદ્ભવે છે કે ] પિતાના કારણભૂત જ્ઞાતવ્યાપારના પ્રામાયનું અનુમાન કરાવનાર ફળ નિર્વિશેષણ હોય છે કે યથાર્થ તાવિશિષ્ટ પ્રામાયુક્ત) ? પ્રથમ પક્ષ સ્વીકારતાં ગમે તે ફળ ઉપરથી જ્ઞાનના પ્રામા૭યનું અનુમાન થાય અને પરિણામે કઈ જ્ઞાન અપ્રમાણ રહે જ નહિ. બીજો પક્ષ પણ થગ્ય નથી, કારણ કે ફળનત યાયાશ્યને (પ્રામાયને) જાણવાને કેાઈ ઉપાય નથી એ અમે કહી ગયા છીએ. 58 ननु स्वानुभव एवात्रोपायः । तद्धि नीलसंवेदनतया फलं स्वत एव प्रकाशते । नीलसंवेदनत्वमेव चास्य यथार्थत्वं, नान्यत् । यद्येवं शुक्तिकायामपि रजतसंवेदने समानो न्यायः । न हि रजतसंवेदनादन्या यथार्थत्वसवित्तिरिति । 58. મીમાંસક–અર્થપ્રકાશનરૂ૫ ફળનો પિતાને અનુભવ જ એને ઉપાય છે. નીલ વસ્તુના સંવેદનરૂપે ફળ પોતે જ પ્રકાશે છે. બીજું કંઈ નહિ પણ નીલસંવેદનાત્મકતા જ ફળનું પ્રામાય છે. જયાયિક-જે એમ હોય તે છીપમાં રજતનું સંવેદન થાય છે તેની બાબતમાં પણ આ જ તર્ક લાગુ પડે. [ અને તે કહેવું પડે કે] રજતસંવેદનથી અન્ય યથાર્થ્યનું સંવેદન નથી અર્થાત રજતસવેદન જ યથાર્મેસવેદન છે. ___59 ननु तत्र बाधकप्रत्ययोपनिपातेनायथार्थत्वमुपनीयते । नूनं चास्य मिथ्यादर्शनेषु देशान्तरे वा शुक्तिकारजतादिज्ञाने, कालान्तरे वा कूटकार्षापणादिप्रतीतो, पुरुषान्तरे वा जाततैमिरिके द्विचन्द्रप्रतीतौ, अवस्थान्तरे पीतशलादिप्रतिभासे भवति बाधकप्रत्ययः । तदसत्त्वे न तच्छङ्का युक्तिमतीत्युक्तमेव । 59. મીમાંસક—છીપમાં રજતનું જે સંવેદન થાય છે તેની બાબતમાં તે આવી પટેલ બાધક જ્ઞાન તેનામાં અયથાર્થતા લાવે છે. અને ખરેખર બ્રાન્ત જ્ઞાનમાં બાધક સાન થાય છે, છીપમાં ૨જતના પ્રાન્ત જ્ઞાનનું બાધક જ્ઞાન દેશાન્તમાં (અર્થાત્ નજીક જતાં), થાય છે, પેટા સિકકામાં સાચા સિકકાના ભાત જ્ઞાનનું બાધક જ્ઞાન કાલાન્તરે થાય છે, જમથી જ તમિરિક રોગવાળાને થતા બે ચન્દ્રના બ્રાન્ત જ્ઞાનનું બાધક જ્ઞાન બીજે પુરુષમાં થાય છે, પીળીયાના રોગીને થતા પીળા શંખના ભ્રાન્ત જ્ઞાનનું બાધક જ્ઞાન અવસ્થા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy