SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આત કેણુ? 7. આપ્તની સમજુતી ભાષ્કારે આ પ્રમાણે આપી છે – “જે ઉપદેશકે ધર્મને સાક્ષાત્કાર કર્યો છે અને સાથે સાથે જે પોતે અર્થને જેવો દેખ્યો હોય તેવો જ કહેવાની ઈરછા ધરાવે છે તે આપ્ત છે. ધર્મ એટલે ઉપદેશ કરવા યોગ્ય જે કોઈ અર્થ વિવક્ષિત હોય છે. એને સાક્ષાત્કાર એટલે યથાર્થ જ્ઞાન. [તે અર્થનું] પ્રત્યક્ષ વડે જ ગ્રહણ થયું હોવું જોઈએ એવો નિયમ નથી, કારણ કે અનુમાન વગેરે દ્વારા નિશ્ચિત જ્ઞાત અર્થનો ઉપદેશ કરનારાનું આપ્તવ ચાલ્યું જતું નથી. [અર્થને જેવો દેખ્યો હોય તેવો જ] કહેવાની ઈચ્છાથી યુક્ત” એમ કહીને ભાષ્યકારે વીતરાગપણે જણાવ્યું છે. “ઉપદેખા” એ શબ્દ દ્વારા પ્રતિપાદનકૌશલ કહેવાયું છે. મૂંગાપણું વગેરેને લીધે ઉપદેશ કરવા અશક્ત પુરુષ વીતરાગ હોય તે પણ શું કરી શકે ? [બીજી બાજુ] વસ્તુને યથાર્થ જાણનારે બોલવાને સમર્થ હોય પરંતુ વીતરાગ ને હોય તો તે વિસ્તુને જેવી જાણ હેાય તેવી કહેતા નથી, મૂંગા રહે છે. ઉપદેશકની વીતરાગતા પ્રતિપાદ્ય વિષયમાં ઇચછવામાં આવે છે, સર્વથા વીતરાગ પુરુષ તે કયાં મળે ? આપ્તનું લક્ષણ ઋષિ, આર્ય અને પ્લે છ ત્રણેયને લાગુ પડે એવું કહેવું જોઈએ. આપ્તનું લક્ષણ એવું હોય તે જગતમાં આપ્તવચન દ્વારા ચાલતા વ્યવહારને નાશ ન થાય. જેઓ આપ્તતાને દેષક્ષયરૂપ ગણાવે છે તેઓએ પણ આ દેષક્ષયને પ્રતિપાદ્ય વિષયને અનુલક્ષીને જ વર્ણવો જોઈએ. [અર્થત, પ્રતિપાદ્ય વિષય પ્રતિ રાગ-દ્વેષરૂપ દેષને અભાવ જ તેમણે ઉપદેષ્ટામાં કહેવું જોઈએ. અન્યથા, આપ્તવચનને આધારે જગતમાં ચાલતા દેખાતા વ્યવહારને નિરાધ આવી પડશે. અથવા ન્યાયશાસ્ત્રનું પ્રયોજન વેદનું પ્રામાણ્ય સિદ્ધ કરવાનું હેઈ, નૈિયાયિકે માને છે કે] વેદના પ્રણેતા આપ્ત ઈશ્વર જેવું કહેવામાં આવ્યું છે તેવું જ આપ્તનું] આ લક્ષણ ધરાવે છે. તે સાક્ષાત્કતધર્મો છે જ, કારણ કે ઈશ્વરને ધર્મ પ્રત્યક્ષગમ્ય છે. વસ્તુ જેવી જાણી હેય છે તેવી જ] કહેવાની ઇચ્છાથી યુક્ત ઈશ્વર છે કારણ કે ઈશ્વર કારુણિક છે એમ અમે કહીએ છીએ. અને ઈશ્વર ઉપદેષ્ટા છે, કારણ કે વેદ વગેરે આગમોના તે પ્રણેતા છે એનું સમર્થન અમે આગળ ઉપર કરવાના છીએ. ___8. आह-आस्तां तावदेतत् । इदं तु चिन्त्यतां किमर्थमिदं पुनः शब्दस्य पृथग्लक्षणमुपवर्ण्यते-- शब्दस्य खलु पश्यामो नानुमानाद्विभिन्नताम् । अतस्तल्लक्षणाक्षेपान्न वाच्यं लक्षणान्तरम् ॥ पराक्षविषयत्वं हि तुल्यं तावद द्वयोरपि । सामान्यविषयत्वं च सम्बन्धापेक्षणाद् द्वयोः ॥ अगृहीतेऽपि सम्बन्धे नकस्यापि प्रवर्तनम् । सम्बन्धश्च विशेषाणामानन्त्यादतिदुर्गमः ॥ यथा प्रत्यक्षतो धूमं दृष्ट्वाऽग्निरनुमीयते । तथैव शब्दमाकर्ण्य तदर्थोऽप्यवगम्यते ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy