SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ - બ્રાહ્મણત્વ જાતિ સમજવું જોઈએ કારણ કે તે પણ ઉદેશની સહાય પામેલ પ્રત્યક્ષથી ગ્રાહ્ય છે. તેને શાત થવા ઉપદેશની અપેક્ષા છે એ કારણે તે અપ્રત્યક્ષ નથી બનતું, કારણ કે ગાવ આદિ જાતિઓનું જ્ઞાન પણ સંબંધમડકાળ (= સંકેતસંબંધગ્રહણકાળ) ઉપદેશની અપેક્ષા રાખતું દેખાય છે. અને કહ્યું પણ છે કે “પર્વત ઉપર ચઢયા પછી જે ગૃહીત થાય તે અપ્રત્યક્ષ નથી” અર્થાત્ જેને જ્ઞાત થવા માટે પર્વત પરના જ્ઞાતાના ચઢાણની અપેક્ષા છે તે અપ્રત્યક્ષ નથી.] પૈઠીનસી, ઉપલાદ વગેરેને વિશે થતું “આ બ્રાહ્મણ છે' એવું જ્ઞાન પાધિક નથી, કારણ કે ઉખધિનું શ્રવણ જ નથી તેમ જ એ રીતે તે ગવ વગેરેના જ્ઞાનને પણ પાધિક કહી શકાય. વળી ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના પણ ચક્ષુ ક્ષત્રિય આદિથી વિલક્ષણ સૌમ્ય આકૃતિવાળી બ્રાહ્મણ જતિને જાણી લે છે એમ કેટલાક માને છે. હવે આ બ્રાહ્મણત્વ જાતિની ચર્ચા રહેવા દઈંએ અને પ્રસ્તુત ની વાત કરીએ. ગવ આદિ જાતિઓ દ્વારા જ અથાન ધટે છે. તેથી “ શબ્દ નિત્ય છે કારણ કે શબ્દરચારણ બીજને માટે (= બીજને અર્થ જણાવવા માટે થાય) છે એમ જે તમે મીમાંસકાએ કહ્યું છે તે અયોગ્ય છે. [ગશબ્દ ઉરચારાતાં યુગપદ્દ સવ ગાયનું જ્ઞાન થતું હોઈ ગાશબ્દ ગોઆકૃતિને વાચક છે, એક્તિને વાચક નથી. એક વ્યક્તિમાં દ્રવ્ય વગેરે અનેક આકૃતિઓ સંભવતી હોવા તાં અમુક જ આકૃતિ (ગાવ)નું જ્ઞાન ગોશબ્દ સાંભળતાં થાય છે કારણ કે તે આકૃતિ જ શબ્દના અવય-વ્યતિરેકથી વારંવાર પ્રયોગ થતું જાય છે અને વારંવાર પ્રાગ નિત્યત્વ વિના ઘટતો નથી. માટે શબ્દ નિત્ય છે. આ અર્થ જેને છે તે મીરાસભ્યત્ર] “સર્વત્ર યૌનપરા ખંડન ઉપર જે કહ્યું છે તેનાથી થઈ જાય છે કારણ કે ગદિ નિત્ય સામાન્ય માનવાથી જ ગત્વાદ અને ગેઆકૃતિ વચ્ચે સંબંધનિયમ ઘટે છે. 272. यदपि सङ्ख्याभावात् कृत्वसुचप्रयोगदर्शनमुदग्राहि तदपि व्यभिचारि । कृतं कान्तस्य लविङ्गचा त्रिरपाङ्गविलोकनम् । चतुराशिङ्गन गाढमष्टकृत्वश्च चुम्बनम् ॥ इति तद्भदेऽपि दर्शनात् । अथ तत्र स्त्रीपुसयोरभेदे चुम्बनादि क्रियामात्रभेद एवेत्युच्यते तथाऽप्यपूर्वषु प्रामणेषु भुक्तवत्सु “पश्चकृत्वो ब्राह्मणा भुक्तवन्तः' इति व्यवहारो दृश्यते । * 72. [શબ્દ, દા. ત. શબ્દ, એક અને નિત્ય છે. તેથી તેમાં સંખ્યાનો અભાવ છે;] શબ્દમાં સંખ્યાને અન્નવાઈ [ઉચ્ચારણુક્રિયાની આવૃત્તિ ગણવા માટે] કૃવસુગ પામોમા જે તમે શું છે તે પણ બાધા પામે છે, કારણ કે “નાજુક અંગવાળી યુવતીએ પિતાના મત પ્રતિ ત્રણ વાર તીરછી નજર નાખી, ચાર વાર તેને ગાઢ આલિંગન કર્યું અને આઠ વાર ચુંબન કર્યું? આમાં તીરછી નજરે, આલિંગને કે ચુંબને પ્રત્યેક એક અને અંભિન્ન નથી પરંતુ ભિન્ન ભિન્ન છે અને છતાં તેમાં કૃત્વસુચપ્રત્યયને પ્રયોગ થયેલે દેખાય . જે કહે કે સ્ત્રી એકની એક અને પુરૂષ પણ એકને એક છે માત્ર ચુંબન વગેરે ક્રિયાઓને જ ભેદ છે તે અમે જણાવીશું કે [આમ કહેવું યોગ્ય નથી કારણ કે અપૂર્વ અપૂર્વ અર્થાત ભિન્ન ભિન્ન બ્રાહ્મણોને જમાડયા હોય ત્યારે પણ “પષ વાર બ્રાહ્મણને જમાડષ એ વ્યવહાર થતો દેખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy