SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ નિત્ય છે એ મીમાંસક મત વર્તમાન અરિતત્વરૂપ પ્રમેયાધિકાને ગ્રહણ કરતુ હોવાથી આ જ્ઞાન અનધિગતાર્થગ્રાહી પણ ઘટે છે. આપના [મૈયાવિકના] મતમાં તે પ્રત્યભિજ્ઞા ગૃહીતગાહી હવા છતાં તેનું પ્રામાય ઈછવામાં આવે છે. એટલે તે અપ્રમાણ છે એમ કહેવું તમારા માટે શકય નથી કારણ કે તમે બોદ્ધોની જેમ પદાર્થોને ક્ષણિક ગણુતા નથી. 226. ૪ સાદર નિમિત્તરવું વવનું તથા ચુકયતે | सामान्यविषयत्वं वा द्वयस्यापि निषेधनात् ॥ कैश्चित्तिरोहिते भावादित्यप्रामाण्यमुच्यते । तदसत्तत्प्रतीत्यैव तिरोधाननिषेधनात् ॥ जीवति त्वन्मतेऽप्येष शब्दस्त्रिचतुरान् क्षणान् । प्रत्यभिज्ञा च कालेन तावता न न सिद्धयति ॥ एकक्षणायुषि त्वस्मिन्प्रतीतिरतिदुर्लभा । न खल्वजनकं किञ्चिद्वस्तु ज्ञानेन गृह्यते ॥ इति क्षणभङ्गभङ्गे वक्ष्यते अपि च यथा निशीथे रोलम्बश्यामलाम्बुदडम्बरे । प्रत्यभिज्ञायते किञ्चिदचिरघुतिधामभिः ॥ तथाऽविरतसंयोगविभागक्रमजन्मभिः ।। प्रत्यभिज्ञायते शब्दः क्षणिकैरपि मारुतैः ।। 226. પ્રત્યભિજ્ઞાનું નિમિત્ત (વિષય) સાદગ્ય છે અથવા તો તેને વિષય સામાન્ય છે એમ કહવું યોગ્ય નથી કારણ કે અમે તે બંનેયને નિષેધ કરવાના છીએ. શબ્દને નાશ થયા પછી પ્રત્યભિજ્ઞા થતી હેઈ શિદની અવિનાશિતાની બાબતમાં તે અપ્રમાણ છે એમ કેટલાક કહે છે. તેઓ ખોટા છે કારણ કે શબ્દની પ્રતીતિથી જ શબ્દના નાશને પ્રતિષેધ થાય છે. તમારા (કનૈવાધિકાના) મતે પણ શબ્દ ત્રણચાર ક્ષણ તો અસ્તિત્વ ધરાવે છે. અને એટલા કાળથી અભિજ્ઞા સિદ્ધ ન થાય એવું નથી. પરંતુ એક જ ક્ષણ અસ્તિત્વ ધરાવતી વસ્તુનું જ્ઞાન અતિ દુર્લભ છે. જે કઈ વસ્તુ જ્ઞાનના અજનક હોય તે ખરેખર જ્ઞાનથી ગુડીત ન થાય. [ક્ષણિક વસ્તુને બીજી વસ્તુને ઉત્પન્ન કરવા માટે સમય જ નથી. એટલે ક્ષણિક વસ્તુ હંમેશા અજનક જ હેય. પરિણામે તે જ્ઞાનને પણ ઉત્પન્ન ન કરી શકે. જ્ઞાનને જે ઉત્પન્ન ન કરે તેને જ્ઞાન ગ્રહણ ન કરી શકે.] આ બધું અમે ક્ષણિકવાદના નિરાકરણ પ્રસંગે નિવમાં આલિકમાં] કહેવાના છીએ. જેમ ભ્રમર જેવાં કાળાં વાદળોથી ઘેરાયેલી રાતે વીજળીના પ્રકાશના ક્ષણિક ચમકારાએ દ્વારા કોઈ વિષયનું પ્રમિજ્ઞાન થાય છે તેમ [તાલ આદિ સ્થાને સાથેના] અવિરત સંયોગ અને વિભાગથી ક્રમશઃ જપેલા ક્ષકિ વાયુઓ દ્વારા પણ શબ્દનું પ્રત્યભિજ્ઞાન . થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy