SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વરને જગતજનનું પ્રયોજન ૧૧૫ 197, શા માટે ઈશ્વર જગતનું સર્જન કરે છે એવો જે જનવિકલ્પ કરવામાં આવ્યા છે તે પણ ઉચિત નથી. એ ઈશ્વરને સ્વભાવ જ છે કે કયારેક તે વિશ્વનું સજન કરે છે અને કયારેક તેને સંહાર કરે છે. શંકાકાર-પરંતુ અમુક નિયત કાળે જ સૃષ્ટિ કરવાનું અને અમુક નિયત કાળે જ સંહાર કરવાને તેને સ્વભાવ કેમ છે? નિયાવિક-ભલા માણસ ! સૂર્યને જ જેને જે નિયત કાળે ઊગે છે અને આથમે છે. શંકાકાર-સૂર્યનો એ ભાવ પ્રાણુકર્મ સાપેક્ષ છે. નિયાયિક ઈશ્વરની બાબતમાં પણ એમ જ છે. ક્રડાથે જગતનું સર્જન માનવામાં ઈશ્વરની] કૃતાર્થતાની હાનિ થતી નથી, કારણ કે જેઓ દુઃખી છે તેઓ ક્રીડાઓમાં પ્રવૃત્ત થતા દેખાતા નથી અથવા, અનુકંપાથી જ ઈશ્વર સર્ગ–સંહાર આરંભ. 198. નવત્ર વોદ્વિતમ્ ન તથવિધ: પ્રાણિનીનુ મવત્તિ વસ્ત્રસુaस्वभावा वा सृष्टिरनुकम्पावता क्रियेतेति । सत्यं चोदितम् अनुपपन्नं तु, अनादित्वासंसारस्य । शुभाशुभसंस्कारानुविद्धा एवात्मानः । ते च धर्माधर्मनिगडसंयतत्वादपवर्गपुरद्वारप्रवेशमलभमानाः कथं नानुकम्प्याः ? अनुपभुक्तफलानां कर्मणां न प्रक्षयः । सर्गमन्तरेण च तफलभोगासंभव इति शुभफलोपभोगाय स्वर्गादिसर्गम् अशुभफलोपभोगाय नरकादिसृष्टिमारभते दयालुरेव भगवान् । उपभोगप्रबन्धेन परिश्रान्तानामन्तरान्तरा विश्रान्तये जन्तूनां भुवनोपसंहारमपि करोतीति सर्वमेतत्कृपानिबन्धनमेव । 198. અહીં વિરેાધીએ શંકા કરી છે–તેવા (=મુક્ત આત્માની જેમ સર્વ કલેશેથી રહિત) પ્રાણીઓ અનુકંપાને પાત્ર નથી. વળી, અનુકંપાવાળા તે કેવળ સુખસ્વભાવ જગતનું સર્જન કરે. [જે તે અનુકંપાવાળે હેાય તો દુર દુ:ખથી ખીચોખીચ ભરેલ દારુણ જગતનું સજન તે શા સારુ કરે ?] - નિયાયિક-તમારી શંકા સાચી છે પણ તે ઘટતી નથી કારણ કે સંસાર તે અનાદિ છે. [સંસાર અનાદિ હોવાથી કર્મો અનાદિ છે અને ઈશ્વર તો જગતના સર્જનમાં કર્મોની અપેક્ષા રાખે છે. એટલે જે જગતનું સર્જન ઈશ્વર કરે તે કેવળ સુખસ્વભાવ કેવી રીતે હોઈ શકે ?] [પ્રલયમાંય જીવો ધર્માધમ સંસ્કારોથી અનુવિદ્ધ હોય છે. ધર્માધર્મની જંજીરમાં જકડાયેલા હેવાથી મોક્ષપુરમાં ન પ્રવેશી શકતા તે જીવે શું અનુકંપાને પાત્ર નથી ? જયાં સુધી કર્મોના ફળ ન ભગવાઈ જાય ત્યાં સુધી કર્મોને સંપૂર્ણ ક્ષય શકય નથી. સર્ગ વિના કર્મોનાં ફળને ભગ અશકય છે. તેથી ધર્મના શુભ ફળાના ભેણ માટે દયાળું ઈશ્વર સવર્ગ વગેરે સજે છે અને અધર્મના અશુભ ફળાના ભોગ માટે તે નરક વગેરે સજે છે. કર્મોને ભેગવી થાકી ગયેલા છ વચ્ચે વચ્ચે રામ લઈ શકે એ માટે ભુવનેનો સંહાર પણ ઈશ્વર કરે છે. આમ આ બધું ઈશ્વરની કૃપાનું પરિણામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy