SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વરસાધક કોઇ પ્રમાણ નથી પ્રસિદ્ધ ન હોવાથી-પુરવાર થયેલ ન હોવાથી તે યોગિપ્રત્યક્ષને વિષય નથી. તેથી નિકર્ષ એ કે ઈશ્વર પ્રત્યક્ષને વિષય નથી. ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરવામાં પ્રત્યક્ષપ્રમાણુને પ્રતિષેધ થવાથી પ્રત્યક્ષપૂર્વક અનુમાનને પણ પ્રતિષેધ થઈ ગયો કારણ કે ઈશ્વર કદી પ્રત્યક્ષ થયો જ ન હોય તો ઈશ્વર અને તેના લિંગ ( હેતુ) વચ્ચેની વ્યાપ્તિનું ગ્રહણ જ ન સંભવે. 15ી. ન જ સામાન્યોદરં ત્રિજ્ઞમચારિત વિશ્વના क्षित्यादीनां तु कार्यत्वमसिद्ध सुधियः प्रति । शैलादिसन्निवेशोऽपि नैष कर्वानुमापकः । कर्तृपूर्वककुम्भादिसन्निवेशविलक्षणः ॥ दृष्टः काविनाभावी सन्निवेशो हि यादृशः ।। तादृङ्नगादौ नास्तीति कार्यत्ववदसिद्धता । 151. ઈશ્વરનું અસ્તિત્વ પુરવાર કરતું સામાન્યતદષ્ટ લિંગ પણ કોઈ નથી. બુદ્ધિમાને [તેના હેતુ તરીકે આપવામાં આવેલ] પૃથ્વી વગેરેના કાર્યને પણ અસિદ્ધ ગણે છે. પર્વત વગેરેનો સન્નિવેશ (= રચના) પણ તેના કર્તાને અનુમાપક નથી કારણ કે તે સનિશ કર્તાએ બનાવેલા કુંભ વગેરેના સનિશથી વિલક્ષણ છે. કર્તા સાથે અવિનાભાવસંબંધ ધરાવતા સન્નિવેશ જેવો હોય છે તેવો સન્નિવેશ પર્વત વગેરેને નથી, એટલે જેમ કાર્યત્વ હેતુ અસિદ્ધ છે તેમ આ સન્નિવેશ હેતુ પણ અસિદ્ધ છે. 151. સિદ્ધ ન હેતુવમેનૈવાચાળામિ | अकृष्टजातैः कर्तारमन्तरेणाप्तजन्मभिः । तेषामुत्पत्तिसमयप्रत्यक्षत्वेन लभ्यते ॥ कर्तुई श्यत्वमप्येवमभावोऽनुपलब्धितः । न च क्षितिजलप्रायदृष्टहेत्वतिरेकिणः ॥ कस्यापि कल्पनं तेषु युज्यतेऽतिप्रसङ्गतः ॥ तेन कर्तुरभावेऽपि सन्निवेशादिदर्शनात् । अनैकान्तिकता हेतोविप्रत्वे पुरुषत्ववत् । 152. આ હેતુઓ સિદ્ધ હોય તે પણ સદ્ હેતુઓ નહિ ઘટે, કારણ કે તેઓ કેવળ પક્ષ-અપક્ષમાં જ નહિ પણ વિપક્ષમાં રહે છે, જેમને ઉત્પન્ન કરનાર કોઈ કર્તા નથી એવાં ખેડયા વિના ઊગી નીકળેલાં ઘાસ વગેરેમાં પણ તે હેતુઓ રહે છે. સકર્તક કુંભ વગેરેની ઉત્પત્તિ વખતે થતા પ્રત્યક્ષ વડે જ તેના કર્તાનું દશ્યત્વ પણ જ્ઞાત થાય છે; એ જ રીતે કર્તાનો અભાવ પણ અનુપલબ્ધિ વડે જ્ઞાત થાય છે. ખેડડ્યા વિના ઊગી નીકળેલ ઘાસની બાબતમ] માટી, પાણું, વગેરે દૃષ્ટ જનક હેતુઓથી અતિરિક્ત બીજા બઈની (અર્થાત્ અદષ્ટ કર્તાની) કલ્પના કરવી યોગ્ય નથી, કારણ કે તેમ કરતાં અતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy