SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ન્યાયબિન્દુ ટપણ (૧) વાસ્તવવિધ અને (૨) લાક્ષણિક વિધ – એવાં વિશદ નામ આપે છે. પાછલું નામ તે ધર્મોત્તરે પણ ટીકામાં કયાંક ક્યાંક વાપર્યું છે. “વાસ્તવ' એટલે વસ્તુઓને ભૌતિક વિરોધ અને “ લાક્ષણિક” એટલે બે વસ્તુનાં બુદ્ધિસ્થ લક્ષણોની ભિન્નતારૂપ અથવા લક્ષણજનિત વિરાધ – એ ભાવ લાગે છે. આને મળતાં જ નામ કચેરબાસ્કીએ અંગ્રેજી અનુવાદમાં અનુક્રમે આમ આપ્યાં છે : (૧) efficient opposition (incompatibility ) અને (2) logical opposition ( = contradiction ). આ બંને પ્રકારના વિરોધનું સામાન્ય લક્ષણ શું એ પ્રશ્ન થાય. જયન્તની “ ન્યાયમંજરી ” માં “વિધ’ શબ્દનો અર્થ આમ યે છે : પ્રયમેવ જ વિરોઘાર્થો ચોમયોનવસ્થાનમ્ I (અર્થ : વિરોધ એટલે બે પદાર્થોનું એક સ્થળ ન હોવું તે. ) ( ન્યામ) આ વ્યાખ્યા દ્વારા ઉપયુકત બંને પ્રકારોને આવરી શકાય. આમાંના “ઈશ્વત્ર' શબ્દના અર્થે બંને પ્રકાર પરત્વે અનુક્રમે (૧) “એક સ્થળમાં ' અને (૨) “એક પદાર્થ વિષે' - એમ કરી શકાય. આ દૃષ્ટિએ તો બંનેને સહાનવસ્થાનરૂપ વિરોધ જ – જુદા જુદા અર્થોમાં – કહી શકાય. સૂત્ર ૭૩ : આ સત્રમાં બૌદ્ધ ક્ષણભંગવાદ અને પ્રતીત્યસમુત્પાદવાદની દષ્ટિએ સહાનવસ્થાનરૂપ વિરોધની પ્રક્રિયા ધર્મોત્તરે વિગતે નિરૂપી છે. સૂત્રાર્થમાં ગર્ભિત પડેલી બાબતોને સવિસ્તર સમજાવવાની તેમની રીત અભ્યાસીને સુપરિચિત છે. ઉક્ત બૌદ્ધ વાદોને આધારે એકંદરે તેમનું કહેવાનું એમ થાય છે કે સહાનવસ્થાનરૂપ વિરોધ એ એક પ્રકારને વિશિષ્ટ જન્યજનકભાવ ( = કાર્યકારણુભાવ) જ છે. ઘog૦માં પણ આ તારણ રજૂ થયું છે. એમાં ૬૦ એક ઠેકાણે પ્રતીત્યસમુત્પાદને અચિન્ય' કહે છે. એ દષ્ટિએ, ચે. નોંધે છે તેમ, વસ્તુ સજાતીય કે વિજાતીય એમ ઉભય પ્રકારની ક્ષણસંતતિ જન્માવવાની શક્તિ ધરાવે છે. વળી કારણ કાર્ય ત્રીજી ક્ષણે જન્માવે છે એ ભાવાર્થનો ત્રિજ્ઞાપુરાવા પણ અહીં સ્વીકારાયો છે. પ્રથમ ક્ષણે કારણવિશેષનું અન્ય કારણધટકેની નિકટ આગમન, દ્વિતીય ક્ષણે એ કારણ વટમાં પેલા કારણવિશેષ દ્વારા વિકારધાન અને તૃતીય ક્ષણે પૂર્વસંતતિના નિવતનની સિદ્ધિની સાથે જ નવસંતતિ એટલે કે કાર્યસંતતિનો આરંભ – આ ક્રમ કલ્પા છે. 3 : અહીં ઉક્ત ત્રિક્ષણપરિણામવાદનું ટૂંકું વર્ણન કર્યું છે. અહીં એક પ્રશ્ન થાય ? જે આ વિરોધને સહનવઘાનવિધિ કહેવામાં આવતું હોય તો પ્રથમ બે ક્ષણે અંધકારાદિની ક્ષણે અવસ્થિત હોય છે ત્યારે પ્રકાશાદિની ક્ષણે ક્યા રૂપે હોય છે? કચેનેધમાં ઉલેખે છે તેમ આ બે ક્ષણે દરમિયાન પ્રકાશક્ષણ ગુપ્ત ( latent) રીતે પ્રવર્તે છે. આ જ વાત સહેજ જુદી રીતે દુક કહે છે કે આ વખતે પણ પ્રકાશક્ષણનું નિકટાવસ્થાન તે અપરિહાર્ય જ છે (નિરાકરથાનૈ તુ વરિહર્તવ્યનિતિ કુથિમાં . એટલે આ બે વાતોને જોડીને કહી શકાય કે પ્રથમ બે ક્ષણમાં પ્રકાશાદિની ક્ષણસંતતિ અંધકારાદિની નિકટ જ ગુપ્ત રીતે મવતે છે અને પિતાની કિંચિ૦રતા સિદ્ધ કરે છે. એટલે કે આ બે ક્ષણે સંક્રમણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy