________________
ર૪ર
ન્યાયબિન્દુ ટિપ્પણ સૂત્ર ૫૦
દિનાગે. આવા પક્ષને “આગમવિરુદ્ધ પક્ષ' કહ્યા છે. પોતાના શાસ્ત્ર સ્વીકારેલા સિદ્ધાન્તથી વિરુદ્ધ પક્ષ તે આગમવિરુદ્ધ પક્ષ કહેવાય. આગમને વધારે પડતું મહત્ત્વ આપતા આ મંતવ્યની ઉદ્યોતકરે ટીકા કરી છે. અને દાખલા તરીકે ઉમેયુ છે કે વૈશેષિકે શબ્દની અનિત્યતા આગમને આધારે નહિ પણ તર્કપુર:સર સિદ્ધ કરે છે. આ ટીકા બુદ્ધની શાસ્ત્રગ્રંથિમુક્ત બુદ્ધિની દષ્ટિએ પણ યોગ્ય ગણાય. ધમકીર્તિએ સંભવતઃ આ આલેચનાને વાજબી ગણીને આગમવિરુદ્ધ પક્ષને સ્થાને અનુમાનનિરાદ્ધ પક્ષને પ્રકાર પુરસ્કાર્યો છે. ( જુઓ B.L. , પૃ163, પાટી 1.)
સૂત્રગત પાઠાંતર : વિનીતદેવના સૂત્રપાઠમાં નિત્ય રાને સ્થાને નિત્યઃ એ પાઠ છે. કચેરબાસ્કીને મતે આ પાઠનું ઉદા. વધુ સ્વાભાવિક છે. શરદ નિઃ એ પક્ષ તે બૌદ્ધ સિદ્ધાન્તની અપેક્ષાએ જ ખોટો ઠરે; જો કે બૌદ્ધ ગ્રંથકાર પિતાની પ્રતીતિને અનુસરીને આ દૃષ્ટાન આપે એ અસંભવિત નથી. છતાં અહીં ઉદાહરણે સાવ દેખીતી રીતે ખોટા પક્ષનાં આપ્યાં છે તે દૃષ્ટિએ તેમ જ પ્રમાણુચર્ચામાં પ્રમેયગત આગ્રહોથી મુક્ત એવી ધમકીર્તિની દષ્ટિને કારણે ઘટનું ઉદાહરણ વધુ સહજ લાગે છે. ઘટનું નિત્યવ એ કૃતકવાદ સાધનાથી સિદ્ધ અનુમાન ધી બાવિત જણાય છે. (જુઓ B. L. II, ઉપયુંકત સ્થળે.) સૂત્ર ૫૧ -
દિફનાગે આ પ્રકારને “લેસિદ્ધિવિરુદ્ધ પક્ષ' કહે છે. વિનીતદેવને સૂત્રપાઠ અહીં સિદ્ધિવિરામત” એ શબ્દવાળો છે. આ પ્રકારને અંતમાં અન્ય પ્રકારોમાં થઈ જાય તેમ ઉદ્યોતકર કહે છે. ચેરબાસ્કીના મતે કદાચ ધમકીર્તિને “ પ્રતીતિનિરાકૃત” પાઠ જ અભિપ્રેત હશે. ધર્મોત્તર પણ “utતે” પાઠ સ્વીકારીને એનો અર્થ પ્રસિદ્ધિપરક ન કરતાં તેને સ્વભાવહેતુ તરીકે ઘટાડે છે. આ રીતે જોતાં તે તે અનુમાનનિરાકૃતને જ પ્રકાર ઠરે. પ્રતીતિનિરાકત પ્રકાર એ વાચસ્પતિમ સ્વસવેદનપ્રત્યક્ષનિરાકતમાં ને તૈયાયિક–મતે માનસપ્રત્યક્ષનિરાકૃતમાં સમાઈ જાય. વિનીતદેવ પ્રસિદ્ધિ પાઠ લઈને પ્રસિદ્ધિને લેકપ્રસિદ્ધિરૂપ ગણીને આ પ્રકારને સરળ રીતે સમજાવે છે. કોઈ પણ શબ્દ કઈ પણ વસ્તુ માટે “સંકેત ”ની પહાયથી વાપરી શકાય. આથી “શશી તે ચન્દ્ર નથી ”એવું ન કહી શકાય એમ તેઓ કહે છે.
આ પ્રકારના અગ્ય પક્ષને નિર્દેશ એકંદરે લૌકિક પરંપરાઓને અનાદર ન કરવાને બોધ આપે છે. પ્રતિનિરાકૃત પાઠ હેય તો યે તેને “લોકપ્રતીતિથી નિરાકૃત” – એમ ઘટાવી શકાય. ટૂંકમાં , જે ખ્યાલ વ્યાપકરૂપે લેકમાનસમાં રૂઢ હોય તેને અનુચિત આઘાત આપે તેવા મંતવ્યનું જાહેર પ્રતિપાદન કરવું ઉચિત નથી. તે રીતે કોઈ વસ્તુ માટે લેમાનસમાં અમુક જ શબ્દ રૂઢ થયે હેય તો તે શબ્દ તે વસ્તુ માટે અગ્ય છે એ જાતનું અભિનિવેશયુક્ત પ્રતિપાદન પણ યોગ્ય નથી. પ્રતિપાદ્ય મંતવ્ય એવાં હોવાં જોઈએ કે જે સરવાળે લોક માટે સ્વીકાર્યું હોય, લેકનું પ્રેમથી ઘડતર કરે તેવાં હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org