SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયબિન્દુ: પણ સૂત્ર ૧૩ : 4 : “ જાનમેટાના મૂશ્રદ્ધ...ગ્રામોદ કૃત ': ધર્મોત્તર અને સ્પષ્ટ કરે છે કે ક્યારેક વ્યક્તિમાં સ્વભાવહેતુ પરંપરાગત રીતે (દુકના શબ્દોમાં શાસ્ત્રોવરમાવતુના આકારે કિંવા નિવિશેષણરૂપે) ને પણ કહ્યો હોય; એને બદલે તે પ્રસિદ્ધ હેતુને કોઈ વિશેષણથી વિશિષ્ટ રીતે વ્યાપ્તિમાં રજૂ કર્યો હોય એવું બને. તે પણ તેને સ્વભાવહેતુ જ માન. પરંપરાગત નિર્વિશેષણ (= શુદ્ધ) સ્વભાવહેતુને જ્યારે વિશેષણ ઉમેરીને વ્યાપ્તિમાં કહેવામાં આવે, ત્યારે એ હેતુને સ્વભાવહેતુ માનવા બાબત સંશય ઉત્પન્ન થવાનું કારણું તે સ્વભાવહેતુના શાસ્ત્રોક્ત લક્ષણમાં પડયું છે. જે ધર્મ પિતાના અસ્તિત્વમાત્રથી જ સાગસિદ્ધિ કરે તે “સ્વભાવહેતુ” કહેવાય છે (જુઓ ત્રિસત્ર ૨.૨૫). હવે જે એવા પ્રસિદ્ધ સ્વભાવહેતુને વ્યાપ્તિમાં સવિશેષણરૂપે રજૂ કરવામાં આવે તો એને અર્થ એ થયો કે તે હેતુ પિતાની સત્તા સાથે વધારામાં કઈક વ્યાવૃત્તિસૂચક વિશેષણની પણ અપેક્ષા રાખીને જ સાધ્યસિદ્ધિ કરે છે. આવા હેતુને સ્વભાવહેતુનું ઉપર્યુક્ત શાસ્ત્રોક્ત લક્ષણ લાગુ ન પડી શકે; કારણ કે તે હેતુ સ્વસત્તામાત્રથી નહિ, પણ સ્વસત્તા ઉપરાંત સાથે કઈક વધારાને ધમની સત્તાથી જ સાધ્યસિદ્ધિ કરે છે; દા.ત. “જે સત્ તે અનિત્ય’ એ શુદ્ધ સ્વભાવહેતુને બદલે “જે ઉત્પત્તિવાળું (સત્ ) તે અનિત્ય' – એમ કહેવાથી શુદ્ધ સ્વભાવહેતુનું લક્ષણ બંધ બેસતું ન હોય તેમ લાગે છે. પરંતુ આમ લાગતું હોવા છતાં આને ઉક્ત શુદ્ધ સ્વભાવહેતુના લક્ષણથી રહિત અન્ય અયોગ્ય હેતુ એટલા માટે માન ન ત્ર છે તેમાં ઉમેરેલ વિશેષણ ( વરવત્તિનg ) સતને નિયતસહચારી ધર્મ (બૌદ્ધ દષ્ટિએ છે. એટલે આ નવી વ્યાપ્તિ એ પેલી શદ્ધ વ્યાપ્તિને વ્યાઘાત ન કરતાં, પેલા વિશેષણથી એને વધારે વિશદ કરે છે. આ વાતને સમર્થન આપતાં ગેરબાસ્કી કહે છે કે ઘણી વાર બીજા ધર્મને સિદ્ધ કરતાં પ્રથમ ધર્મની સાથે, નિયત રીતે, કેઈ ત્રીજે ધમ પડ્યું હોવાનું કાળક્રમે કરાયેલા વિશેષ અવલોકનને આધારે સિદ્ધ થાય છે. તેથી પેલા પ્રથમ ધર્મ સાથે ન સિદ્ધ થયેલે સહભાવી તૃતીય ધમ ઉલેખવામાં આવે છે તેથી મૂળ વ્યક્તિ ખોટી નથી કરતી; માત્ર નવસંસ્કાર પામે છે; તૃતીય ધર્મથી વધારે વિશદ બને છે. વિજ્ઞાનમાં હમેશાં પદાર્થના નવા નવા ધમેં નિપુણ અવલોકનને લીધે સમજાતા જાય છે. તે મુજબ જૂની વ્યાપ્તિએ નવસંસ્કરણ પામતી જાય છે. અગાઉ જે ધર્મ કે દ્રવ્ય સાથે આકસ્મિક રીતે સંકળાયેલ મનાતે હોય તે અનુભવે એ દ્રવ્યના લક્ષણનો અનિવાર્ય ભાગ હોવાનું પણ સિદ્ધ થાય. તે મુજબ જૂનો વ્યાપ્તિઓને નવી સંકુલ રીતે કહેવામાં આવે છે. વિજ્ઞાનમાં અનુભવે આગંતુક ધર્મો એ આવશ્યક ધર્મો તરીકે સિદ્ધ થયા જ કરતા હોય છે. આમ વિજ્ઞાન સતત પરિ. વર્તનશીલ હોય છે. અનુભવ જ તેમાં પ્રમાણુ બને છે. સૂત્ર ૧૪ : સૂત્ર થી શરૂ માં જે સ્વભાવહેતુવાળી વ્યાપ્તિએ આપી છે તેને શબ્દની અનિત્યતા (= ક્ષણિકતા ) સિદ્ધ કરવાના સંદર્ભમાં રજૂ કરી છે તે અહીં સ્પષ્ટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy