________________
પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ
૨૦૫ રૂપે જ થાય ત્યારે તે કશાકના “વાચક' છે એવું ભાન થતું નથી. તેથી તે જ્ઞાન પણ ૫નારૂપ નથી; નિર્વિકલ્પક છે.
આ ચર્ચામાં કોઈ પૂર્વપક્ષીએ કમ-સે-કમ શોત્રજ્ઞાન તે નિર્વિકલ્પ ન હોઈ શકે? એવી જે ઉપરછલ્લી દલીલ કરી છે તેને ઉલ્લેખ કરાય છે. એને જવાબ ધર્મોત્તરે કમાં પણ પ્રતીતિકારક રૂપે આપ્યો છે.
સુત્ર ૭:
અવતરણિકા : આના અનુસંધાનમાં ઘon૦ના ખુલાસા આવા છે : (૧) ઇન્દ્રિયને દ્રષ્ટા કલ્પનારા પિતાના ( = બૌદ્ધ ) જ જૂથના વૈભાષિની દલીલ એવી છે કે જ્ઞાન જે દ્રષ્ટા હોય તે જ્ઞાન અપ્રતિઘ ( વ્યવધાનથી પણ પ્રતિઘાત ન પામનારું ) હોઈ વ્યવહિત વિષયનું પણ ગ્રહણ કરશે. આ આપત્તિમાંથી ઊગરવા ઈન્દ્રિયમાં દ્રષ્ટાપણું માનવું, જ્ઞાનમાં નહિ. (૨) માનસપ્રત્યક્ષના લક્ષણુ સામે ઉઠાવેલે દેષ ( = વાંધો ) તે ગૃહીતના ગૃહણમાંથી પ્રસવતા અપ્રામાણ્યને દેષ. વળી માનસપ્રત્યક્ષનું લક્ષણ દોષ સમજીને ધારો કે એ પ્રકારનું પ્રત્યક્ષ સ્વીકારીએ તે યે અંધબધિરાદિના અભાવને દોષ પણ ઊભો રહેશે– આ દલીલ પણ અહીં ગર્ભિત સમજવાની છે. (મૂળ: રક્ષાદળોવરક્ષાઘાત માનમ્યુડિવિ રો રોણોઘવિરામાનઃ સાડપિ દ્રષ્ટા ) (૩) રવસંવેદનને અસ્વીકાર કરનાર મીમાંસકે અને તૈયાયિક-વૈશેષિકે એ જ્ઞાન પિતાની ઉપર ક્રિયા ન કરી શકે એવો વધે લીધે છે. (૪) ચાર્વાકે અને મીમાંસક યોગીના અસ્વિત્વને જ ન સ્વીકારતા હોઈ તેમણે
ગિજ્ઞાનને અસ્વીકાર કર્યો છે. સૂત્ર ૮ :
1 : પગની નૈધ જુઓઃ સૂત્રગત “ઇન્દ્રિયજ્ઞાન ' શબ્દ તે ઠી-તપુરુષ સમાસ છે તેમ કહીને “ ઇન્દ્રિયરૂપ જ્ઞાન’ એ કર્મધારય સમાસ ન સમજો તેમ નિદેશયું છે. એ દ્વારા ઇન્દ્રિયના જ્ઞાનને બદલે ખુદ ઇન્દ્રિયને જ પ્રમાણરૂપ માનનારા મીમાંસકમતનું નિરસને કરીને ધર્મોત્તરે ધમકીતિના અભિપ્રાયની સ્પષ્ટતા કરી છે. વળી “ઇન્દ્રિયનું જ્ઞાન” એને પણું અર્થ “ઇન્દ્રિયને વિષય બનાવનારું અનુમાનજ્ઞાન” એ ન સમજાઈ જાય માટે તે પછી વિભકિત “ન્દ્રિય પર આશ્રિત એ અર્થમાં છે તેમ સ્પષ્ટ કર્યું છે. ટૂંકમાં, જે જ્ઞાનને ઉત્પન્ન કરવામાં ઇન્દ્રિય પણ એક અનિવાય નિમિત્ત બને તે જ્ઞાન તે ઈન્દ્રિયજ્ઞાન. સૂત્ર ૯ :
3 : સૂત્રગત લક્ષણમાં ઈન્દ્રિયજ્ઞાન માટે વાપરેલા ‘ સમનતરપ્રત્યય’ રાખ, [ અન્ય વ્યક્તિના ] ઈન્દ્રિયજ્ઞાનને આલંબીને થનારા યોગિજ્ઞાનને 'મનોવિજ્ઞાન” કહેવાને પ્રસંગ ન આવે તે માટે છે. ધર્મોત્તરની પૂર્વે થયેલા વિનીતદેવના મતે “સમનન્તરપ્રત્યય' શબ્દ અંધબધિરાદિ-અભાવ-પ્રસંગ નિવારવા માટે છે. ધર્મોત્તર અહીં એ મત ધ્યાનમાં રાખીને ખંડન કરતા લાગે છે. એમણે આગળ કહ્યું છે તેમ ઉક્ત પ્રસંગનું નિવારણું તો “ઇન્દ્રિય જ્ઞાનથી જન્મેલું' એ શબ્દોથી જ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org