SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજું ] સૂયગડ ઉત્તરઝણું ( અ. ૩૧, શ્લ. ૧૩૧)માં “ગાહાસેલસ” તરીકે ઓળખાવે છે. આ સમ્બન્ધમાં નેમિચન્દ્રસૂરિ ૩૪૭આ પત્રમાં કહે છે કે “નાથા–ાથામધાનમધ્યયનં વોટરમેષ જાથાણો રાજાનિ સૂત્રતાSSEश्रुतस्कन्धाध्ययनानि तेषु" જેણે ઇન્દ્રિય ઉપર કાબૂ મેળવ્યો છે, જે મુમુક્ષુ છે અને જેને શરીર ઉપરનો મેહ ત્યજી દીધો છે તે જ માહણ (બ્રાહ્મણ) કહેવાય, “સમ” (શ્રમણ) કહેવાય, ભિખુ” (ભિક્ષુ) કહેવાય અથવા “નિગન્થ” (નિગ્રન્થ) કહેવાય. આમ ચાર રીતે એ સધાય તે દરેકનાં કારણે આ અજકયણુમાં અપાયાં છે. જેમકે બ્રાહ્મણ એટલા માટે કહેવાય કે રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, ચાડીચૂગલી, પર પરિવાદ, (ધર્મમાં) અરતિ, (અધર્મમાં) રતિ, માયામૃષાવાદ વગેરે સર્વ પાપકર્મોથી એ વિરત બન્યો છે, મિથ્યાત્વરૂપ કાંટાથી એ મુક્ત છે, યથાર્થ પ્રવૃત્તિવાળો છે, સદા વનવાન (ઉપગવાળો) છે, કદી ક્રોધ કરતા નથી કે અભિમાન કરતું નથી. પુંડરીય (પુણ્ડરીક)-આને શબ્દાર્થ “કમળ’ છે. આ અજઝયણમાં એનું અદ્ભુત રૂપક કહેવાયું છે. આથી આને અંગ્રેજીમાં “the parable of a lotus ” તરીકે ઓળખાવ્યું છે તે સમુચિત છે. પુષ્કળ પાણું અને કાદવવાળી તેમજ ધેળાં કમળથી ભરેલી એક મનોહર પુષ્કરિણી(વાવડી ) હતી. એની ચારે બાજુ ધોળાં કમળો ખૂબ ઊગ્યાં હતાં અને વચ્ચે વચ્ચે એ બધાં કમળોથી ચડી જાય એવું એક મેટું ધળું કમળ હતું. પૂર્વ દિશામાંથી એક પુરુષ આ પુષ્કરિણું પાસે આવી ચડ્યો. તે આ કમળને જોઈને કહેવા લાગ્યો કે હું કુશળ, પડિત, વિવેકી, બુદ્ધિશાળી, પાકી ઉમ્મરને અને માર્ગની આંટીઘૂંટી જાણનારે છું માટે હું આ ઉત્તમ કમળ લઈ આવું. આમ વિચારી એ પુષ્કરિણીમાં ઊતર્યો પણ એ કમળ સુધી જતાં પહેલાં કાદવમાં ખેંચી ગયો. દક્ષિણ દિશામાંથી , “गाहासोलसएहिं तहा असंजमम्मि य । जे भिक्खू जयई निच्चं से न अच्छइ मण्डलं ॥ १३॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy