SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ - આગમનું દિગ્દર્શન [ પ્રકરણ અનુયોગ છે. દ્રવ્યાનુયોગથી દર્શનની-શ્રદ્ધાની શુદ્ધિ થાય છે અને જેનું દર્શન શુદ્ધ છે તે જ ચારિત્રને લાયક છે. આમ ચરણકરણનુગ જ ચારે યુગમાં મુખ્ય છે. આ આયારમાં ચરણકરણનુયોગને વિષય છે અને એ રીતે આ બૌદ્ધોના વિનયપિટકને મળતું આવે છે. થર–કેટલાક જૈન તેમજ અન વિદ્વાનોની માન્યતા મુજબ અને મારા પણ નમ્ર અભિપ્રાય પ્રમાણે આયારને પહેલે સુયફખધ બીજા કરતાં પ્રાચીન છે. વળી બીજે સુયફખંધ એ એક કરતાં વધારે શ્રુત વિરેની કૃતિ છે. એ શ્રુતસ્થવિરે ભિન્નકાલીન હોય છેએ રીતે એ જૂનામાં જૂના બૌદ્ધ પદ્યાત્મક સંગ્રહ નામે સુત્તનિપાતને મળતું આવે છે, કેમકે આ સુત્તનિપાત અનેક ભિન્ન કાળના બૌદ્ધ ભિક્ષુઓનાં સુનો સંગ્રહ છે. ભદ્રબાહુસ્વામીએ આયાર ઉપર નિજજુતિ રચી તે સમયે તે બીજે સુયફખંધ પાંચ ચૂલારૂપ હતા. પછી કાલાન્તરે નિસીહ નામની પાંચમી ચૂલાને સ્વતંત્ર સ્થાન અપાયું ત્યારથી તે આજ દિન સુધી એ સુયફબંધમાં ચાર ચૂલાઓ છે. પહેલા સુફબંધમાં ગદ્યાત્મક તેમજ પદ્યાત્મક એમ બન્ને પ્રકારનું લખાણ છે. એમાંને પદ્યાત્મક વિભાગ જેમાં સંપૂર્ણ તેમજ આંશિક પદ્યોને સમાવેશ થાય છે એ બાકીના ગદ્યાત્મક વિભાગ કરતાં વધારે પ્રાચીન છે એમ કેટલાક આધુનિક વિદ્યાનું માનવું છે. આ પ્રમાણે જેને આજે આપણે “આયાર” તરીકે ઓળખીએ છીએ એ પહેલા અંગમાં કાલક્રમની દષ્ટિએ વિવિધ કરે છે. સૌથી પ્રાચીન થરની રચના મહાવીર સ્વામીના સમય દરમ્યાન થઈ હોય એમ જણાય છે, અને સૌથી અર્વાચીન થરની રચના આયરનિજજુતિની રચના કરતાં તે પ્રાચીન છે જ. આયારનિજજુત્તિના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુવામી છે એમ સામાન્યતઃ મનાય છે. એમને સ્વર્ગવાસ વીરસંવત ૧૭૦માં ૧. જુઓ આયારનિજજુત્તિ (ગા. ૨૮૭). આ અવતરણ B C D 4 (પૃ. ૧૧૩)માં મેં આપ્યું છે. ૨. જુઓ B C N J (પૃ. ૧૫૮). ૩. એજન (પૃ. ૧૧૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy