SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ એ વિષયો આ અઝયણમાં નિરૂપાયા છે. અન્તમાં ગમે તે જાતની જગ્યા સૂવા માટે મળે તે ઊંચાનીચા ન થવું એ બાબત કહેવાઈ છે. ઈરિયા (ઈ) આને શબ્દાર્થ “ગમન' છે. ગામેગામ કેવી રીતે વિહાર કરે, પાણીમાં કેવી રીતે ઊતરવું અને નાવમાં કેવી રીતે જવું આમ મુસાફરી સમ્બન્ધી હકીકતો આ અઝયણમાં સમજાવાઈ છે. ભાસા (ભાષા)–કેવી જાતની ભાષા બેલવી અને કેવી ન બેલવી એ અહીં નિરૂપાયું છે. વસ્થ (વસ્ત્ર)–કેવાં વસ્ત્ર લેવા-ન લેવાં, ખરાબ વસ્ત્ર હોય તે સારાં બનાવવા કે મેળવવા માટે ફાંફાં ન મારવાં, વસ્ત્ર કયાં સુકવવાં ઈત્યાદિ વિગતે અહીં અપાઈ છે. પાએસા (પાષા)–આને શબ્દાર્થ “પાત્રની તપાસ” એવો થાય છે. કોને કઈ જાતનાં અને કેટલાં પાત્ર રાખવાં તેમજ કેવી જાતનું પાત્ર માગવું એ હકીકત અહીં સમજાવાઈ છે. ઉગહપડિમા (અવગ્રહપ્રતિમા)– અવગ્રહ”ને પરિગ્રહ તેજમ નિવાસસ્થાન (મુકામ) એ બને અર્થ અહીં ઘટે છે. કઈ ચીજ ન લેવી તેમજ કઈ જાતને મુકામ મેળવો એ હકીકતે આમાં વિચારાઈ છે. વિશેષમાં અહીં પાંચ પ્રકારના અવગ્રહ અર્થાત્ માલિકીની વસ્તુ કે મકાન ગણવાયા છે. સત્તસત્તિક્યા (સપ્તસતૈકકિકા)–આ સાત અઝયણમાં ઊભા રહેવાનું સ્થાન, નિશીથિકા અર્થાત સ્વાધ્યાય માટેનું સ્થળ, મળમૂત્રની જગ્યા, શબ્દ, રૂપ, પરક્રિયા અને અન્ય ક્રિયા એમ સાત બાબતે અનુક્રમે વિચારાઈ છે. ભાવણું (ભાવના)-પ્રારમ્ભમાં મહાવીરસ્વામીનું જીવનચરિત્ર અપાયું છે. એમનાં વન–સમય, ગર્ભસંક્રમણ અને જન્મ, એમનાં અને એમનાં માતા, પિતા, પત્ની વગેરેનાં નામે, એમને ગૃહવાસ, એમનું સાંવત્સરિક દાન અને દીક્ષા ગ્રહણ, મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy