SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ પિતતાની તપશ્ચર્યા વર્ણવવાને ક૯૫ છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે ઉવહાણસુય એ દરેક દ્વાદશાંગીગત આયારનું છેલ્લું અજઝયણ હોય છે. મહાવીરસ્વામીએ હેમત ઋતુમાં દીક્ષા લેતાની સાથે વિહાર કર્યો. (એ સમયે ઇન્દ્ર દેવદૂષ્ય વસ્ત્ર એના ખભા ઉપર મૂકવું). એ વસ્ત્રથી એમણે પિતાનું શરીર ઢાંકયું નહિ. તેર મહિના સુધી એ વસ્ત્ર રહ્યું. પછી ભગવાન અચેલક બન્યા. તેમની આ નગ્નતાથી અને તેમનાં સ્થિર નેત્રથી ભય પામેલાં છોકરાંઓ તેમને મારતાં મારતાં બૂમે પાડતાં હતાં (પત્ર ૨૭૪ અ). ભગવાન બીજાના પાત્રમાં જમતા ન હતા કે બીજાનાં વસ્ત્રને ઉપયોગ કરતા ન હતા. તેઓ ખાનપાનનું માપ બરાબર જાણતા હતા. તેઓ રસને વિષે લલચાતા નહિ. તેઓ કદી આંખ એળતા નહિ કે શરીર ખજવાળતા નહિ. કાઈ બોલાવે તે બહુ ઓછું બોલતા. ટાઢમાં તેઓ હાથ લાંબા રાખીને ધ્યાન ધરતા (પરંતુ એ સંકોચતા નહિ). ઉજજડ ઘર, સભા, પરબ અને હાટ(પયશાળા)માં ભગવાન કોઈ વાર રહેતા. કોઈ વાર તેઓ લુહારની કઢમાં કે (માંચડા પર ગોઠવેલા) પરાળના ઢગલા પાસે તે કોઈ વાર મુસાફરખાનામાં, આરામોમાં કે નગરમાં રહેતા. કેઈ કોઈ વાર તેઓ સ્મશાનમાં કે ઝાડનાં મૂળિયાં પાસે રહેતા. આ રીતે એમણે પ્રકર્ષથી તેર વર્ષો વીતાવ્યાં. એ દરમ્યાન રાત અને દિવસ યત્નવાન (ઉપગવાળા) રહીને અપ્રમતપણે સમાધિપૂર્વક તેમણે ધ્યાન ધર્યું. એમણે નિદ્રા ન લીધી (એક વેળા ઉપસને અને તેમણે બે ઘડી નિદ્રા આવી ગઈ હતી તે માપોમા૫). (ઊંઘ આવતાં) તેઓ ઊઠીને આત્માને જાગૃત કરતા. દુશ્ચર (દુર્ગમ) એવા લાઢ પ્રદેશમાં–વજભૂમિમાં તેમજ શુદ્ધ ભૂમિમાં પણ ભગવાન વિચર્યા હતા. ત્યાં તેમને તદ્દન નિર્માલ્ય શવ્યા અને આસનોને ઉપયોગ કર્યો હતો. આ પ્રદેશના લેકે એમને મારતા અને કેટલાક તે કૂતરાઓને છુછકારીને એમને કરડાવતા. આ બધું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy