SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ बमाणं गमितं भण्णति, तं च एवंविहं उस्सणं दिट्ठिवाए; अण्णोण्णसगभिधाणठितं जे पढिजइ तं अगमितं, तं च प्रायसो आयारादि कालियसुयं । " અર્થાત પ્રારમ્ભમાં, મધ્યમાં કે અન્તમાં કંઈક વિશેષથી યુક્ત સત્તનું– બેથી માંડીને સો સુધીનાંનું પઠન કરાતાં એ સુત્ત ગમિત' (ગમિક) કહેવાય છે. આ જાતનું ગમિક સુત્ત મટે ભાગે દિક્િવાયમાં છે. પિતપોતાના અભિધાનને વિષે રહેલા સુત્તનું પઠન કરાતાં એ અગમિત” (અગમિક) કહેવાય છે. એ મોટે ભાગે આયાર ઇત્યાદિ કાલિયસુય છે. કહેવાનો મતલબ એ છે કે જે સુત્તના પાઠ લગભગ સમાન હોય પણ જેનું તાત્પર્ય ભિન્ન હોય તે “ગમિક સૂત્ર” છે. પદ-પ્રથમ સુફખંધમાં ૧૮,૦૦૦ પદે છે. આ “પદ” થી શું સમજવું એ એક કોયડે છે. અહીં જે “પદ' શબ્દ વપરાયો છે તેનું સ્વરૂપ કાંઈક જુદા જ પ્રકારનું હોય એમ જણાય છે. અહીં વપરાયેલા પદને અર્થ હરિભદ્રસૂરિએ નંદી(સુ. ૪૬)ની વૃત્તિ( પત્ર ૯૮)માં ચત્રાવવિધતૂત પરમ ” એમ સમજાવ્યો છે. મલયગિરિસૂરિએ નંદીની ટીકા( પત્ર ૨૧૧ )માં આમ જ કહ્યું છે. એને અર્થ એ છે કે જ્યાં અર્થની ઉપલબ્ધિ છે-જે અર્થવાળું છે તે “પદ” છે. મલયગિરિસૂરિએ અન્યત્ર ચૂર્ણિકારનું પ્રમાણ આપી કહ્યું છે કે ઉપસર્ગ–પદ, નિપાત–પદ, નામ-પદ, ક્રિયાપદ અને મિશ્ર–પદ એમ પાંચ પ્રકારનાં પદો છે. એ પદોને આશ્રીને સૂત્રોનાં પદે ગણવાનાં છે અથવા સૂત્રને આખે આલાપક એ એક પદ છે અને એ પદની અપેક્ષાએ સૂત્રનાં પદો સમજવાનાં છે. તત્ત્વાર્થાધિરના અંગ્રેજી સ્પષ્ટીકરણમાં જે. એલ. જેનીએ પૃ. ૨૯માં દિગમ્બર દષ્ટિએ પદ વિષે સમજૂતી આપી છે અને મધ્યમ પદમાં ૧૬, ૩૪,૮૩,૦૭, ૮૮૮ અક્ષર હોવાનું સૂચવ્યું છે. મહેસાણા તરફથી પ્રકાશિત ૧. કર્મગ્રન્થના ટીકાકાર કહે છે કે જ્યાં અર્થ પૂરે થાય તે “પદ” એમ કહેવામાં આવ્યું છે. ૨. જુઓ ભગવાન મહાવીરની ધર્મકથાઓ (પૃ. ૧૮૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy