SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ (ગા. ૩૧-૩૨ ) ઉપરથી એ જાણવા મળે છે કે પાંચમા અજઝયણનું નામ “લેગસાર ” (લેકસાર) પણ છે અને એવી રીતે આઠમાનું નામ ‘વિફખ” (વિમોક્ષ) પણ છે. બીજું, આયારના પહેલા સુયફબંધની પછીના ભાગને માયાજાળ તરીકે ઉલ્લેખ છે. આ જોતાં બીજ સુયફબંધના દરેક પેટાવિભાગનું નામ “આયારશ્મ” હેય એમ જણાય છે કે જે નામથી એ સુયફબંધ પણ ઓળખાય છે. આયારનિજજુત્તિ (ગા. ૨૮૭) પ્રમાણે દરેક પેટાવિભાગનું નામ “આયારંગ” પણ છે એમ જણાય છે. આ ઉપરાંત આ દરેકને “ચૂલા” પણ કહે છે. એમાંની છેલ્લી ત્રણનાં તેમજ નિસીહરૂપ પાંચમી ચૂલાનાં વિશિષ્ટ નામ પણ છે એ હકીકત આયારનિજ જુત્તિ( ગા. ૨૯૭ ) ઉપરથી જણાય છે. એમાં સકિયા, ભાવણ, વિમુનિ અને આયારપપ એમ નામ અપાયાં છે. પહેલી ચૂલામાં સાત અજઝયણ છે એ ઉપરથી “સત્તિયા” સચવી શકાય. એમાંનાં સાત અઝયણેનાં નામ સમવાય(સુ. ૨૫)માંની નિમ્નલિખિત ગાથામાં મળે છે – “ पिंडेसण सेन्जिरिया भासज्जाया य वत्थ पाएसा । ___ उग्गहपडिमा सत्तसत्तिकया भावण विमुत्ती ॥" આમ પિંડેસણું, સેજજા, ઈરિયા, ભાસજજાયા, વત્થ, પાસ અને ઉગહપડિમા એ પહેલી ચૂલાનાં સાત અઝયણનાં નામ છે. ભાવણું અને વિમુનિ અનુક્રમે ત્રીજી અને ચેથી ચૂલાના એકેક અઝયણનાં નામ છે. બીજી ચૂલાનાં સાત અઝયણ પૈકી ચારનાં નામ ઠાણું, નિસહિયા, ઉચ્ચારપાસવણ અને સદ્ છે એમ એ દરેકના અંતમાંના ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે, જ્યારે બાકીનાં ત્રણનાં રૂવ, પરકિરિયા અને અન્નમન્નકિરિયા એવાં નામ યોજી શકાય તેમ છે. પહેલા સુયફખંધનાં અજયણના નાના નાના વિભાગે છે. એને ઉદ્દેસ (ઉદ્દેશક) કહે છે. “દેશને અર્થ વિભાગ, અંશ થાય છે ૧. સેમદેવસૂરિએ જે નીતિવાક્યામૃત રચ્યું છે તેને બત્રીસ વિભાગમાં વિભક્ત કરાયું છે. આ દરેક વિભાગને “સમુદ્દેશ” કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy