SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર શ્રત અને અવધિમાં હોય; ચારમાં હોય ત્યારે મતિ, ચુત, અવધિ અને મન:પર્યવજ્ઞાનમાં હોય. એ પ્રમાણે જ નિગ્રંથનું પણ જાણવું. સ્નાતક માત્ર કેવળજ્ઞાનમાં હોય. ૭. હવે શ્રત અથવા શાસ્ત્રની દષ્ટિએ વિચાર કરવામાં આવે છે: પુલાક ઓછામાં ઓછું નવમા પૂર્વગ્રંથની ત્રીજી આચારવસ્તુ સુધી ભણે; અને વધારેમાં વધારે સંપૂર્ણ નવ પૂર્વેને ભણે. બકુશ ઓછામાં ઓછું આઠ પ્રવચનમાતા સુધી, અને વધારેમાં વધારે દશ પૂ સુધી ભણે. એ જ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ જાણ. કષાયકુશલ ઓછામાં ઓછું આઠ પ્રવચનમાતા સુધી અને વધારેમાં વધારે ૧૪ પૂર્વે સુધી ભણે. એ જ પ્રમાણે નિગ્રંથનું જાણવું. સ્નાતક (સર્વજ્ઞ હોવાથી) શ્રુતરહિત હોય. ૮. હવે તીર્થની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે છે : પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ હંમેશાં તીર્થકરને શાસનમાં હોય છે. પરંતુ કપાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક તો તીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય. અતીર્થમાં હોય ત્યારે તે તીર્થકર પણ હોય કે પ્રત્યેકબુદ્ધ પણ હોય. * જૈનધર્મના, અત્યારે લુપ્ત થઈ ગયેલા મનાતા ના ૧૪ ગ્રંશે. જુઓ આ માળાનું “સંયમધર્મ ” પુસ્તક પા. ૭. ૧. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચનમાતા કહેવાય છે. જુઓ “અંતિમ ઉપદેશ” પા. ૧૩૯ ઇ. ૨. ગુરુ વિના પોતાની મેળે જ જ્ઞાન પામેલ. જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૪૫, ટિ. નં. ૧. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy