________________
શ્રીભાગવતી ચાર તે શ્રમ પાસક પછી મન-વાણ-કાયાથી કે કરવા-કરાવવા -અનુમતિ આપવાથી તે હિંસાદિ કરતો નથી. આવા પ્રકારના શ્રમણે પાસ હોય છે, પણ આવા પ્રકારના આજીવિક (ગોશાલક ) ના ઉપાસકે નથી હોતા.
તેઓને સિદ્ધાંત એવો છે કે, દરેક જીવ, જીવને જ ખાય છેઃ ભલે પછી તે હણીને, છેદીને, ભેદીને, લોપીને, વિલોપીને, કે વિનાશ કરીને ખાય.
પણ આજીવિકના મતમાં આ બાર આજીવિકપાસકો કહ્યા છે: તાલ, તાલપ્રબંધ, ઉદિધ, સંવિધ, અવવિધ, ઉદય, નામેાદય, નર્મોદય, અનુપાલક, શંખપાલક, અચંબુલ અને કાતર. તેઓને દેવ અહંત (ગોશાલક) છે. માતાપિતાની સેવા કરનારા તેઓ પણ આ પાંચ પ્રકારના ફળને ખાતા નથી: ઉંબરાનાં ફળ, વડનાં ફળ, બોર, સતરનાં ફળ અને પીંપળાનાં ફળ. તેઓ ડુંગળી, લસણ અને કંદમૂલના વિવર્જક છે. તેઓ નહિ ખસી કરેલા, તથા નહીં નાઘેલા એવા બળદો વડે જંગમ જીવોની હિંસારહિત વ્યાપાર વડે આજીવિકા કરે છે. જ્યારે એ ગેમશાલકના શ્રાવકો પણ એ પ્રકારે (અહિંસા) ધર્મને ઇચ્છે છે, તો પછી જે આ શ્રમ પાસકે છે, તેઓને માટે શું કહેવું? તેઓએ આ પંદર કર્માદાને પોતે ન કરવાં, બીજા પાસે ન કરાવવાં, કે કરનારને અનુમતિ ન આપવી.
૧. પાંખ વગેરેના કાપવા વડે. ૨. ચામડી ઉતારવા વડે, ૩. કર્મબંધનના હેતુરૂપ વ્યાપારે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org