SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ કર શ્રીભગવતીન્સા૨ પ્રવ—તો પછી તે આર્યો જે આત્મા જ સામાયિક વગેરે હોય તો તમે ક્રોધ, માન, ભાયા અને લેભનો ત્યાગ કરી, શા માટે તે ક્રોધ વગેરેને નિંદ છો ?૧ ઉ૦–હે કાલાયેષિપુત્ર ! સંયમને માટે અમે ક્રોધાદિકને નિંદીએ છીએ. પ્રા–હે ભગવંત! નિંદા એ સંયમ છે કે અનિંદા ? ઉ૦ –હે કાલાસ્યષિપુત્ર ! (અહીં) નિંદા એ સંયમ છે, પણ અનિંદા નહિ. (દોષોની નિંદા બધા દોષોના નાશ કરે છે. આત્મા સર્વ મિથ્યાત્વને (અવિરતિને) જાણીને નિંદા દ્વારા બધા દોષોને ત્યાગ કરે છે. એ પ્રમાણે અમારે આત્મા (નિંદા દ્વારા ઊલટે) સંયમમાં સ્થાપિત થાય છે. - આ સાંભળી કાલાસ્યપિપુત્રને ભાન આવ્યું. અને તે પિલા ભગવંતોને નમસ્કાર કરી બેલ્યાઃ હે ભગવંત! પૂર્વે અજ્ઞાન હોવાથી, સચ્છાસ્ત્રનું શ્રવણ ન હોવાથી, તથા જિનધર્મની પ્રાપ્તિ ન થયેલી હોવાથી આવાં પદે મેં સાંભળ્યાં ન હતાં, ચિંતવ્યાં ન હતાં, નિર્ણત કર્યા ન હતાં, તથા તેઓમાં શ્રદ્ધા, પ્રીતિ, કે તથા રુચિ કરી ન હતી. પરંતુ હવે તે હું તેઓમાં શ્રદ્ધા, પ્રીતિ તથા રુચિ કરું છું. હું ભગવંત! તમે જેમ કહો છો તે એ પ્રમાણે જ છે. ત્યારબાદ તે ભગવંતની અનુજ્ઞાથી કાલાયેષિપુત્ર ચાર ૧. આત્મા એ જ સામાયિક (સમભાવ) રૂ૫ છે એમ માનનાર કશાની નિંદા કેવી રીતે કરી શકે? – એ ભાવ છે. ૨. અર્થાત પાપની નિંદા કરવાથી સંયમ થઈ શકે છે. કારણ કે તેનાથી પાપસંબંધી અનુમતિને વ્યવદ થાય છે, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy