SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ નિંદા એ સયમ છે? ગૌતમ! તે સંપૂર્ણ જબુદ્ધીપ તે ગંધપુદ્ગલેના સ્પર્શવાળે થયો કે નહીં ? “હા ! થયે!” હે ગૌતમ! કાઈ તે ગંધપુદ્ગલોને બેરના ઠળિયા જેટલાં પણ દર્શાવવા સમર્થ છે? ના” ! તેમ, હે ગૌતમ ! સુખાદિને પણ કોઈ દર્શાવવા સમર્થ નથી. – શતક ૬, ઉ. ૧૦ ૧૦ નિંદા એ સંયમ છે? પાર્શ્વનાથના વંશમાં થયેલ કલાયેષિપુત્ર નામને સાધુ એક વખત મહાવીરના સ્થવિર ભગવત પાસે આવીને કહેવા લાગ્યો : હે આર્યો! સામાયિક એટલે શું. પ્રત્યાખ્યાન એટલે શું, સંયમ એટલે શું, સંવર એટલે શું વિવેક એટલે શું અને વ્યુત્સર્ગ એટલે શું, તે તમે જાણો છો? ત્યારે તે સ્થવિરેએ કહ્યું કે, “હે આર્ય ! અમારો આત્મા એ જ સામાયિક છે. અમારે આત્મા જ પ્રત્યાખ્યાન છે તથા અમારે આત્મા જ સંયમ, સંવર, વિવેક અને વ્યુત્સર્ગ છે. ૧. ટીકાકાર એ આખાને સાર ટૂંકમાં જણાવે છે કે, અતિસૂકમપણાને લીધે ગંધનાં પુગલો અમૂર્ત તુલ્ય હોવાથી જેમ કોઈ દર્શાવવા સમર્થ નથી, તેમ સુખ અને દુઃખ પણ દેખાડી શકાય નહીં. ૨. સામાચિક એટલે સમભાવ; પ્રત્યાખ્યાન એટલે નિયમપૂર્વક પાપકર્માદિને ત્યાગ, સંચમ એટલે પૃથ્વી વગેરે જેવાને સાચવવા તે સંવર એટલે ઈદ્રિય-મનની પ્રવૃત્તિઓ અટકાવવી તે; વિવેક એટલે વિશેષજ્ઞાન, અને તેને પરિણામે હેયવસ્તુઓનો ત્યાગ; વ્યુત્સર્ગ એટલે શરીર વગેરેમાં અનાસક્તપણું. ૩. “કર્મનું નહિ બાંધવું વગેરે જીવના ગુણ છે; અને જીવના ગુણેથી જીવ જુદે નથી, માટે સામાયિકને અર્થ પણ આત્મા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy