________________
અહીં નયુ દુખ જ નથી
પ૮૫
અહીં નયુ દુઃખ જ નથી ગૌ૦–હે ભગવન ! અન્યતીથિકે એમ કહે છે કે, સર્વ જીવો એકાંત દુઃખરૂપ વેદનાને અનુભવે છે. તે એમ કેમ હોય ?
મ– ગૌતમ! તેઓનું તે કહેવું ખોટું છે. હું એમ કહું છું કે, કેટલાક જીવો એકાંત દુઃખરૂપ વેદના અનુભવે છે, અને કદાચિત સુખ પણ અનુભવે છે; જ્યારે કેટલાક એકાંત સુખ અનુભવે છે અને કદાચિત દુઃખ અનુભવે છે. વળી કેટલાક કદાચિત સુખ અને કદાચિત દુઃખ એમ વિવિધ પ્રકારે વેદનાને અનુભવે છે.
જેમકે : નારકે એકાંત દુઃખરૂપ વેદના અનુભવે છે અને કદાચિત સુખ અનુભવે છે. દેવ એકાંત સુખરૂપ વેદના અનુભવે છે અને કદાચિત દુઃખને અનુભવે છે.
જ્યારે પૃથ્વીકાયથી માંડીને મનુષ્ય સુધીના છો (કદાચિત સુખ અને કદાચિત દુઃખ એમ) વિવિધ પ્રકારે વેદના અનુભવે છે.
-શતક ૬, ઉદે. ૧૦
એકાંતબાલ ગ –હે ભગવન! અન્યતીર્થિકો એમ કહે છે કે, “જિનોને મતે શ્રમણે સર્વ પાપસ્થાનમાંથી વિરતિવાળા હોવાથી
૧. તીર્થકરના જન્માદિ પ્રસંગે તથા પૂર્વ જન્મના મિત્ર દેવના પ્રયોગ દ્વારા. '
૨. પરસ્પર આહનામાં, અને પ્રિય વસ્તુના વિચગાદિમાં.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org