SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ પપર ભગવતીસાર દ્વીપમાં જ વસે છે. ત્રસનાડીની બહાર સ્થાવરનાડી છે. તેમાં કેવળ સ્થાવર જીવ જ હોય. ગૌ–હે ભગવન્! લોકનું સંસ્થાન (આકાર) કેવું કહ્યું છે? મ–હે ગૌતમ! લેક શરાવને આકાર જે છે. [એટલે કે મૃદંગના માં જેટલા તળિયાવાળ] શરાવ (કાડિયા) ને ઊંધું વાળી, તેના ઉપર મૃદંગ ઉભું મૂક્યું હોય તે છે. અથવા કેડથી નીચે પહોળા થતે ઘાઘરો પહેરી હાથ કાણીએથી વાળી કડે મૂકી ઊભેલા પુરુષ જેવું છે.] તે નીચે વિસ્તીર્ણ – પહોળે છે, અને ઉપર ઊભા મૃદંગના આકારે સ્થિત છે. – શતક છે, ઉદ્દે ૧ ગ –હે ભગવન્! લોકને બરાબર સમ (પ્રદેશની હાનિ વૃદ્ધિરહિત) ભાગ ક્યાં આવેલો છે? તથા લેકનો સર્વથી સંક્ષિપ્ત – સાંકડે ભાગ કયાં આવેલો છે ? ભ૦-–હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીનો ઉપરનો લૂક પ્રતર, જ્યાંથી ઉપર પ્રતરની વૃદ્ધિ થવા માંડે છે, તથા નીચેનો પ્રતર, જ્યાંથી નીચે પ્રતરની વૃદ્ધિ થવા માંડે છે, ત્યાં લોકો સમભાગ તેમ જ સાંકડો ભાગ છે. ગૌ–હે ભગવન! આ અલેક, તિર્યમ્ લેક અને ઊર્ધ્વલોકમાં કોણ કોનાથી વિશેષાધિક છે? મ— સૌથી થડે તિર્યક છે; તેથી અસંખ્યાતગણે ઉદ્ધક છે; અને તેથી વિશેષાધિક અલોક છે. શતક ૧૩, ઉદ્દે ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy