SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ yપ૦ શ્રીભગવતીસાર અને તેને ઉપદેશ કરનાર, તીર્થંકર પેદા થઈ શકે તે જ કર્મભૂમિ છે. અહીદીપમાં મનુષ્યની પેદાશવાળાં પાંત્રીશ. ક્ષેત્ર અને પ૬ અંતરદીપ કહેવાય છે. (બાકીના મનુષ્યક્ષેત્રમાં તે વિદ્યા અથવા લબ્ધિના નિમિત્તથી દેખાય છે.) ઊર્ધ્વ લેકમાં દેવો હોય છે. દેવોના ચાર સમૂહ અથવા જાતિ છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, અને વૈમાનિક. ભવપતિના અસુરકુમારાદિ દશ, વ્યંતરનિકાયના કિન્નરાદિ આઠ, જ્યોતિષ્કના સૂર્યચંદ્રાદિ પાંચ અને વૈમાનિકના ક૫૫ન્ન અને કલ્પાતીત એમ બે મુખ્ય ભદો છે. તેમાં સૌધર્માદિ ૧૨ કલ્પ અથવા સ્વર્ગમાં રહેનારા તે કો૫પન્ન છે. તે ૧ર કલ્યની ઉપર અનુક્રમે નવ વિમાન રૈવેયક દેવનાં છે; એની ઉપર વિજય, વૈજયંત, જયંત, ઉ૦ ૧ પૃષ્ઠ ૧૪૪-૨–૧૫૬-૧ ) બીજ ગ્રંથને આખે હિસ્સો આ ગ્રંથમાં ઉતારવો ઠીક ન લાગવાથી ઉતાર્યો નથી. તે અંતરદ્વીપમાંના એરુક દ્વીપનું વર્ણન મૂળમાં આટલું આપ્યું છેઃ હે ગૌતમ! જ બુદ્વીપ નામના દ્વીપમાં આવેલા મેરુપર્વતની દક્ષિણે ચુલ્લહિમવંત નામે વર્ષધર પર્વતના પૂર્વના છેડાથી ઈશાનમાં ત્રણ યોજન લવણસમુદ્રમાં ગયા પછી, એ સ્થળે દક્ષિણ દિશાના એરુક (એક ઊરુ-ધ-વાળા ) મનુષ્યોનો એકેક નામે દ્વીપ કહ્યા છે. એ દ્વીપની લંબાઈ અને પહોળાઈ ત્રણસે યોજન છે. અને તેને પરિચિ નવસો ઓગણપચાસ યોજનથી કંઈક ન્યૂન છે. . . . એ દ્વીપના મનુષ્યો મરીને દેવગતિમાં ઉપજે છે. એ બધું તથા બીજ અંતરદ્વીપનું વર્ણન વાભિગમસૂત્રમાંથી સમજી લેવું.” આ જ વસ્તુ ૧૦મા શતકના ૭ થી ૩૪ ઉદ્દેશકો માટે પણ. સમજી લેવાનું મૂળમાં કહ્યું છે ! Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy