SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મને બાંધનારા ગૌ–હે ભગવન ! આહારક કે અનાહારક જીવ જ્ઞાનાવરણીયકર્મ બાંધે ? ભ૦–હે ગૌતમ ! બંને કદાચ બાંધે અને કદાચ ન બાંધે. એ પ્રમાણે વેદનીય અને આયુષ સિવાયની છે કર્મપ્રકૃતિઓ માટે જાણવું. વેદનીય કર્મ આહારકજીવ બાંધે, તથા અનાહારક કદાચ બાંધે અને કદાચ ન બાંધે; આયુષકર્મને આહારક કદાચ બાંધે અને કદાચ ન બાંધે. અનાહારક ન બાંધે. ગૌ –હે ભગવન ! સૂક્ષ્મ જીવ, બાદર છવ કે નો સૂક્ષ્મ–નોબાદર છવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે? મહે ગૌતમ! સૂક્ષ્મ જીવ બાંધે, બાદર છવ કદાચ બાંધે, કદાચ ન બાંધે નો સૂક્ષ્મ (સિદ્ધ) ન બાંધે. એ પ્રમાણે આયુષ સિવાયની સાતે માટે જાણવું. આયુષને પ્રથમ બે કદાચ બાંધે અને કદાચ ને બાધે; નો સૂક્ષ્મ ન બાંધે. ૧. વીતરાગ આહારક ન બાંધે; અને અનાહારક એટલે કેવલી, તથા વિગ્રહગતિને પ્રાપ્ત છવ, એ બંનેમાં કેવલી ન બાંધે, બીજા બાંધે. ૨. કારણકે અયોગી સિવાયના બધા જ વેદનીય બાંધે. ૩. વિગ્રહગતિવાળો છવ, સમુઘાતને પ્રાપ્ત કેવલી, અાગી અને સિદ્ધ એ બધા અનાહારક છે. તેમાં પહેલા બે વેદનીને બાધે; બાકીના બે ન બાંધે. ૪. આયુષબંધકાળે બાંધે. ૫. વિગ્રહગતિને પ્રાપ્ત જીવ પણ આયુષને અબંધક જ છે. ૬. વીતરાગ ન બાંધે. ૭. આયુષબંધકાળે જ બાંધે, નહિ તો ન બાંધે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy