SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ જર શીભાગવતી-સાર જાણવું. આયુષકર્મને ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક કદાચ બાંધે અને કદાચ ન બાંધે; પણ ભવ (સિદ્ધ) ન બાંધે. ગૌ–હે ભગવન ! ચક્ષુર્દર્શનીર, અચક્ષુર્દર્શની, અવધિદર્શની અને કેવલદર્શની જ્ઞાનાવરણીય કર્મ બાંધે? મહ–હે ગૌતમ! પહેલા ત્રણ કદાચ બધે અને કદાચ ન બાંધે. કેવલદર્શની ન બાંધે. એ પ્રમાણે વેદનીય સિવાયની સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું. વેદનીયને પ્રથમ ત્રણ બાંધે છે; કેવલદર્શની કદાચ બાંધે અને કદાચ ન બાંધે.’ ગૌ– હે ભગવન ! પર્યાપ્ત જીવ જ્ઞાનાવરણીય બાંધે? અપર્યાપ્ત બાંધે કે પર્યાપ્ત ને અપર્યાપ્ત બધે ? મહ–હે ગૌતમ! પર્યાપ્ત જીવ કદાચ બાંધે અને કદાચ ન બાંધે;૪ અપર્યાપ્ત જીવ બાંધે જ; અને નો પર્યાપ્ત એટલે કે સિદ્ધ ન બાંધે. એ પ્રમાણે આયુષ સિવાયની સાતે માટે જાણવું. આયુષને પહેલા બે કદાચ બાંધે અને કદાચ ન બધે; ને પર્યાપ્ત (સિદ્ધ) ન બાધે. ગૌ હે ભગવન્! ભાષક જીવ જ્ઞાનાવરણીય બાંધે કે અભાષક બાંધે? ૧, આયુષબંધાળે. ૨. દર્શન એટલે સામાન્ય બોધ; વિશેષ બેધ તે જ્ઞાન. દર્શનના આ ચાર પ્રકાર છે. ચક્ષુ સિવાયની ઇંદ્રિયથી અથવા મનથી તે સામાન્ય બાધ અચક્ષુર્દર્શન કહેવાય છે ૩. વીતરાગ હોય તે ન બાંધે. ૪. સગી હોય તે બાંધે; અયોગી ન બાંધે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy