SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર પાક્ષિકને ચારે વિકલ્પ છે. તેમાં પહેલે વિકલ્પ (બાંધશે) પ્રશ્ન સમયની અપેક્ષાએ તુરતના ભવિષ્યની અપેક્ષાએ છે, બીજો વિકલ્પ (બાંધશે નહીં) પછીના ભવિષ્ય સમયમાં ક્ષપકપણુની પ્રાપ્તિની અપેક્ષાઓ છે; ત્રીજો વિકલ્પ (બાંધતે નથી, બાંધશે) મેહનીય કર્મનો ઉપશમ કરી, પછી પડવાને હોય તેની અપેક્ષાએ છે; અને એથે ( બાંધતો નથી, અને બાંધશે નહીં) ક્ષપકપણુની અપેક્ષાએ છે. સમ્મદષ્ટ જીવને ચારે વિકલ્પ જાણવા; તથા મિથ્યાદષ્ટિને અને મિશ્રદાષ્ટને પ્રથમ બે જાણવા. કારણ કે તેમને વર્તમાનકાળમાં મેહનો બંધ હોય જ છે. જ્ઞાની જીવને ચાર વિકલ્પ; અને અજ્ઞાનીને પ્રથમ બે જાણવા. કારણ કે તેને મેહનીયકર્મનો ક્ષય અને ઉપશમ નથી. મતિજ્ઞાનીથી માંડીને મન પર્યાવજ્ઞાની સુધી ચારે વિક જાણવા; કેવલજ્ઞાનીને છેલ્લે એક ( નથી બાંધતો.. નહીં બાંધે ) જાણવો. આહાર સંજ્ઞાથી માંડીને પરિગ્રહસંજ્ઞા સુધીની સંજ્ઞાવાળાઓને પ્રથમ બે જાણવા; અને નોસંજ્ઞા (આહારાદિની અનાસક્તિ) વાળાને મેહનીયન ક્ષય તથા ઉપશમનો સંભવ હોવાથી ત્યારે જાણવા. વેદવાળા જીવને પ્રથમ બે જાણવા; કારણ કે વેદને ઉદય હોય ત્યાં સુધી જીવને મેહનીયનો ક્ષય અને ઉપશમ ન હોય; વેદ વિનાના જીવને ચારે જાણવા. વેદ ઉપશાંત થવાથી વેદરહિત થયેલ ૧. સ્ત્રી-પુરુષાદિને પિતપોતાની બતિને અનુરૂપ કામાદિ. વિકાર. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy