________________
૪૦૫
જીવ અને લેડ્યા ગુરુલઘુ (જેમકે, વાયુ, કારણ કે તેનો તીરછી જવાનો સ્વભાવ છે.) અને અ–ગુરુલઘુ (આકાશ). ચાર સ્પર્શવાળા અને અરૂપી પદાર્થો અગુરુલઘુ કહેવાય છે. જે દ્રવ્ય ગુરુલઘુ હોય તે રૂપવાળું હોય; અને જે દ્રવ્ય અગુરુલઘુ હોય તે રૂપવાળું અને રૂપ વિનાનું પણ હોય. ઔદારિક, વૈક્રિય, આહારક અને તેજસ એ બધી વર્ગણુઓ ( અણુઓ) ગુરુલઘુ છે. અને કાશ્મણ, મન, અને ભાષા એ વર્ગણાઓ અગુરુલઘુ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અમૂર્ત હાવાથી અગુરુલઘુ છે. સમયે ( કાલ) અમૂર્ત છે માટે અગુરુલઘુ છે. દષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા વગેરે વિના પર્યાય છે માટે અગુરુલઘુ છે.
ગૌ–હે ભગવન્! કૃષ્ણલેસ્યા ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે કે અગુરુલઘુ છે ?
મદ– ગૌતમ ! તે ગુરુલઘુ છે અને અગુરુલઘુ પણ છે. ગૌ–હે ભગવન! તેનું શું કારણ?
મ-ગૌતમ! દ્રવ્યલેસ્યાની અપેક્ષાએ ગુરુલઘુ છે, અને ભાવલેસ્થાની અપેક્ષાએ અગુરુલઘુ છે. તેવું જ શુકલ - સુધીની બધી લેયાઓ માટે જાણવું. *
– શતક ૧, ઉ૦ ૯
• ટીકામાંથી : ઔદારિક શરીર વગેરેને જે કાળા વણે તે દ્રવ્ય કૃષ્ણલેક્યા છે. અને ઔદરિકાદિ ગુરુલઘુ છે. માટે કૃષ્ણલેશ્યા ગુરુલઘુ છે. અને ભાવલેણ્યા તે જીવને પરિણામ છે, માટે અપૂર્ત હોઈ અગુરુલધુ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org