SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર પ્ર૦ – હે ભગવન! તે કેવલજ્ઞાની સિદ્ધ થાય, અને સર્વ દુબેને અંત કરે ? ઉ– હે ગૌતમ ! તે કેવલજ્ઞાની સિદ્ધ થાય અને સર્વ દુઃખોનો અંત કરે. તેવા કેવલજ્ઞાની ઊર્ધ્વમાં પણ સંભવે છે, અલોકમાં પણ સંભવે છે; અને તિર્યલોકમાં પણ સંભવે છે. તિર્યકમાં તે તે પંદર કર્મભૂમિઓમાં જ હાય. - પ્ર૦ હે ભગવાન! તેવા પુરુષો એક સમયે કેટલા હોય ? ઉ– હે ગૌતમ ! તેવા પુરુષે ઓછામાં ઓછા એક, બે, ત્રણ અને વધારેમાં વધારે દશ હોય. પ્ર– હે ભગવન્ ! કેવલી વગેરે પાસથી ધમ સાંભળનારો જીવ ઉપર પ્રમાણે ધર્મજ્ઞાનથી માંડીને કેવળ જ્ઞાન વગેરે પ્રાપ્ત કરે ? ઉ– હે ગૌતમ ! કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળનારે જીવ પણ જ્ઞાનાદિનું આવરણ કરનાર તેમ જ ૧. શબ્દાપતિ, વિકટાપાતિ, ગંધાપાતિ અને માલ્યવંત નામે વૃત્તવૈતાઢય પર્વ તેમાં. - ૨. અધોલેકગ્રામાદિમાં કે ગુફામાં. ૩. જેમાં મોક્ષમાર્ગને જાણનાર અને તેને ઉપદેશ કરનાર તીર્થંકર પેદા થઈ શકે, તે કર્મભૂમિ કહેવાય. જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૨૬૧. ટિ. નં. ૨. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy