SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ३५० શ્રીભગવતી-સાર ઉ–હે ગૌતમ ! આત્મા કદાચિત જ્ઞાનસ્વરૂપ છે, અને કદાચિત અજ્ઞાનસ્વરૂપ છે. પણ જ્ઞાન તો અવશ્ય આત્મસ્વરૂપ છે. નૈરયિકને આત્મા કદાચિત જ્ઞાનરૂપ અને કદાચિત અજ્ઞાનરૂપ પણ છે; પરંતુ તેઓનું જ્ઞાન અવશ્ય આત્મરૂપ છે. એ બધું સ્વનિતકુમારદેવો સુધી જાણવું; તેમ જ બેઈદ્રિય, ત્રીન્દ્રિય અને છેક વૈમાનિક સુધી જાણવું. - પૃથ્વીકાયિકાને આત્મા અવશ્ય અજ્ઞાનરૂપ છે, અને તેઓનું અજ્ઞાન પણ અવશ્ય આત્મરૂપ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકે સુધી જાણવું. પ્રહ–હે ભગવન ! આત્મા દર્શનરૂપ છે, કે તેથી દર્શન બીજું છે? ઉ–હે ગૌતમ ! આત્મા અવશ્ય દર્શનરૂપ છે, અને દર્શન પણ અવશ્ય આત્મા છે. –શતક ૧૨, ઉદ્દે ૧૦ ૧૪ પ્રકારના સંસારી જી રાજગૃહ નગરનો પ્રસંગ છે. ગૌ૦–હે ભગવન ! સંસારી જીવો કેટલા પ્રકારના છે? ઉ૦–હે ગૌતમ! સંસારી જીવો ૧૪ પ્રકારના છે? ૧૧. અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય; ૨. પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય; ૩. અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય; ૪. પર્યાપ્ત બાદર એકેન્દ્રિય; પ. અપર્યાપ્ત બેઈન્દ્રિય; ૬. પર્યાપ્ત બેઈન્દ્રિય; P૮. એ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્ત તે(ત્રણ) ઈન્દ્રિય; ૯-૧૦. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy