________________
દ્રવ્યવિભાગ ૧ઃ દ્રવ્ય
ગોહે ભગવન ! દ્રવ્ય કેટલા પ્રકારનાં કહ્યાં છે?
મ–હે ગૌતમ! દ્રવ્યો બે પ્રકારનાં કહ્યાં છેઃ જીવકવ્ય અને અછવદ્રવ્ય.
'વિવરણ: સતના સ્વરૂપ વિષે ભિન્નભિન્ન દર્શનેના ભિન્ન ભિન્ન મત છે. કોઈ દર્શન સંપૂર્ણ સત પદાર્થને (બ્રહ્મને ) કેવળ ધ્રુવ – નિત્ય જ માને છે. કેઈ દર્શન સત્ પદાર્થને ક્ષણિક (માત્ર ઉત્પાદવિનાશશીલ) માને છે. કોઈ દર્શન ચેતનતત્ત્વરૂપ સતને તે કેવળ ધ્રુવ (કૂટસ્થ નિત્ય) અને પ્રકૃતિતત્ત્વરૂપ સતને પરિણામી નિત્ય (નિત્યાનિત્ય) માને છે. કોઈ દર્શન અનેક સત પદાર્થોમાંથી પરમાણુ, કાળ, આત્મા આદિ કેટલાંક સત તને કુટસ્થ નિત્ય, અને ઘટ વસ્ત્ર આદિ કેટલાંક સતને માત્ર ઉત્પાદવ્યયશીલ (અનિત્ય) માને છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org