SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ગાલ, સહિત પહોંચાડવો. એ પ્રમાણે હે આનંદ ! તારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રે ઉદાર અવસ્થા પ્રાપ્ત કરી છે, અને દેવ–મનુષ્યાદિમાં તેમની કીર્તિ અને પ્રશંસા થયેલી છે; પણ જે તે મારી બદારી કર્યા કરી મને ગુસ્સે કરશે, તો મારા તપન તેજ વડે પેલા વાણિયાઓની પેઠે તેમને હું બાળીને ભસ્મ કરીશ; માત્ર પેલા હિતકર સલાહ આપનાર વાણિયાની પેઠે તને હું બચાવી લઈશ. માટે જઈને તું તારા ધર્માચાર્યને એ પ્રમાણે કહે.” આ સાંભળી, ભય પામી, આનંદ ઝટપટ પોતાને ઉતારે પાછા ગયા અને ત્યાં મહાવીરને એ બધી વાત કહી; તથા ગોશાલક તેમને બાળી શકે કે કેમ તે પૂછ્યું. ત્યારે મહાવીરે કહ્યું કે, તે પિતાના તપના તેજ વડે ગમે તેને એક ઘાએ પાષાણમય મારણ મહાયંત્રના આઘાતની પેઠે જલદી ભસ્મરાશિ કરવાને સમર્થ છે; પરંતુ અરિહંત ભગવંતને બાળી ભસ્મ કરવા સમર્થ નથી; અલબત્ત, તે તેમને પરિતાપ - દુઃખ- ઉત્પન્ન કરવા સમર્થ છે. ગોશાલકનું જેટલું તપસ્તેજ છે, તેનાથી અનગાર (સાધુ) ભગવંતનું અનંતગુણ વિશિષ્ટ તપતેજ છે; કારણ કે અનગાર ભગવંત ક્ષમા- ક્રોધને નિગ્રહ – કરવામાં સમર્થ છે. હે આનંદ ! અનગાર ભગવંતોનું જેટલું તપેબલ છે, તેથી અનંતગુણ વિશિષ્ટ તબલ, ક્ષમાના કારણથી સ્થવિર ભગવંતનું છે; અને સ્થવિર ભગવંતોના તપોબલથી ૧. તેમના ત્રણ પ્રકાર છે: વય:સ્થવિર – ઉમરમાં વૃદ્ધ; શ્રુતસ્થવિર – શાસ્ત્રજ્ઞાનમાં વધેલા; અને પર્યાય સ્થવિર- જેને દીક્ષા લીધે ૩૦ વર્ષથી વધુ સમય થયો હોય તે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy