SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ છોડ નીપજશે કે નહિ નીપજે? તેમ જ આ સાત તલના પુષ્યના જીવો મરીને ક્યાં જશે અને ઉપજશે ?' ત્યારે મેં જવાબ આપ્યો, “આ તલનો છોડ નીપજશે, અને આ સાત તલના પુષ્પના મરીને આ જ તલના છોડની એક તલફળીને વિષ સાત તલરૂપે ઉપજશે.” પછી મને બોટો પાડવાના ઈરાદાથી, તેણે મારાથી છૂપી રીતે તે તલના છોડને માટી સહિત મૂળથી ઉખાડી. નાખ્યો અને એક બાજુએ મૂકી દીધું. પછી અમે કૂર્મગ્રામ નગર તરફ આગળ ચાલ્યા. એ દરમ્યાન આકાશમાં દિવ્ય વાદળ થયું, અને ક્ષણ વારમાં ત્યાં અત્યંત કાદવ ન થાય તેવી થડા પાણુંનાં બિંદુવાળી તથા રજ અને ધૂળને શાંત કરનાર દિવ્ય વૃષ્ટિ થઈ. તેથી તે તલનો છોડ જમીનમાં ચોટી ગયું અને ક્રમેક્રમે બહુમૂલ થઈ . તે સાત તલપુષ્પના જીવો પણ ભરણ પામી તે જ તલના છોડની એક તલફળીમાં સાત તલરૂપે ઉત્પન્ન થયા. આ તરફ અમે ચાલતા ચાલતા કૂર્મગ્રામ પાસે આવી પહોંચ્યા. ત્યાં ગામ બહાર વેશ્યાયન નામે બોલતપસ્વી નિરંતર છ છ રંકને ઉપવાસ કરતો, પિતાના બંને હાથ ઊંયા રાખી, સૂર્યની સામે ઊભું રહી તપ તપતો હતો. તે વખતે સૂર્યના તેજથી તપેલી જૂઓ તેના શરીર ઉપરથી તરફ બહાર નીકળતી હતી અને પેલે તપસ્વી તે જૂએને પાછી પિતાના શરીર ઉપર મૂકતો હતો. આ જોઈ ને શાલક તેને કહેવા લાગ્યું કે, તમે મુનિ છે કે, ચસકેલ (મુનિક ) છે, અથવા જૂના મિજબાન છો ? આમ જ્યારે શાલકે બે ત્રણ વાર કહ્યું, ત્યારે પેલાએ ગુસ્સે થઈ ગશાલકને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy