SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-ચાર ચિત્રપટ હાથમાં લઈ આજીવિકા ચલાવતો વિહરવા લાગે. તે અરસામાં હું ત્રીસ વર્ષ ગૃહવાસમાં રહી, માતપિતા દેવગત થયા પછી, સુવર્ણદિનો ત્યાગ કરી, એક દેવદૂષ્ય–વસ્ત્રને ગ્રહણ કરી, પ્રજિત થયે હતા. તે વખતે હે ગૌતમ! પહેલા વર્ષને વિષે અર્ધા–અર્ધા મહિનાના ઉપવાસ કરતો હું અસ્થિગ્રામમાં પ્રથમ વર્ષાકાલમાં રહ્યો. પછી મહિના–મહિનાના ઉપવાસ કરતે હું એક ગામથી બીજે ગામ ફરતો ફરતો રાજગૃહની બહાર નાલંદામાં વણકરના ડહેલાના ( તંતુવાયશાળાના) એક ભાગમાં વર્ષાઋતુ રહ્યો. તે વખતે ગોશાલક પણ ફરતો ફરતો ત્યાં આવ્યો અને વણકરેના ડહેલાના એક ભાગમાં રાચરચીલું મૂકી, ઉતારે શેધવા નીકળ્યો; પણ બીજે ઉતારે ન મળતાં ત્યાં જ રહેવા લાગ્યો. હું મહિનાના પ્રથમ ઉપવાસનું પારણું કરવા રાજગૃહ નગરમાં ગયો. ત્યાં ભિક્ષા માગવા ફરતાં ફરતાં વિજય નામે ગૃહસ્થના ઘરમાં મેં પ્રવેશ કર્યો. મને જોઈ તે અત્યંત પ્રસન્ન તથા સંતુષ્ટ થયે, અને ઊભે થઈ અંજલિ જેડી, ઉત્તરીય વસ્ત્રને જનોઈની પેઠે વીંટી, સાત આઠ પગલાં મારી સામે આવ્યો અને મને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને નમસ્કાર કર્યો. પછી તેણે મને પુષ્કળ અશન, પાન, ખાદિમ (મુખવાસ) અને સ્વાદિમ (મે-મીઠાઈ) એમ ચતુર્વિધ આહારથી સત્કાર્યો. આમ કરવાથી તેને દેવ આયુષ બંધાયું, તેનો સંસાર અલ્પ થયે અને તેના ઘરમાં આ પાંચ દિવ્ય પ્રગટ થયાં: વસુધારાની વૃષ્ટિ, પાંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ, ધ્વજારૂપ વસ્ત્રની વૃષ્ટિ, દેવદુંદુભિનું વાગવું, અને આકાશને વિષે “અહા દાન! અહો દાન!” Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org જનક જ , , , ,
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy