SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ રાયશિક કે ૨૦૭ તે ગૃહસ્થ પ્રથમ તે ઉગ્ર, ઉચચર્યાવાળા, મોક્ષ મેળવવા -તત્પર થયેલા તથા સંસારથી ભયભીત થયેલા હતા; પણ પાછળથી જ્ઞાનાદિથી બાહ્ય પુરુષોના આચારવાળા, થાકી ગયેલા, શિથિલાચારી, કુશલ તથા યથાદવિહારી થઈ, મરણ સમયે ત્રીસ ટકનો ઉપવાસ કરી, પિતાનાં પ્રમાદસ્થાનનું આલોચન–પ્રતિક્રમણ કર્યા વિના જ મરણ પામ્યા; તેથી તેઓ અસુરેદ્ર અસુરકુમાર રાજા ચમરના ત્રાયશ્ચિંશ દેવપણે ઉત્પન્ન થયા. પ્ર –હે ભગવન ! જ્યારથી તેઓ ત્રાયશ્ચિંશપણે ઉત્પન્ન થયા, ત્યારથી જ અસુરેંદ્ર ચમરને ત્રાયશ્ચિંશક દે છે? જ્યારે સ્વામહસ્તીએ આ પ્રમાણે પૂછયું, ત્યારે ભગવાન ગૌતમ શંકિત થઈને શ્યામહસ્તી સાથે ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા અને તેમને નમસ્કારાદિ કરીને ઉપરને પ્રશ્ન પૂછયો. ત્યારે ભગવાને જવાબ આપ્યો : હે ગૌતમ! તે અર્થ એગ્ય નથી; ચમરના ત્રાયશ્ચિંશક દેનાં નામે શાશ્વત કહ્યાં છે, તેથી તેઓ કદી ન હતાં એમ નથી, કદી ન હશે એમ નથી, તથા કદી નથી એમ પણ નથી; માત્ર અન્ય ઔવે છે, અને અન્ય ઉત્પન્ન થાય છે, એ રીતે તેમનો કદી વિચ્છેદ થતો નથી. * આ પ્રમાણે બલિ, નાગરાજ ધરણ, દેવરાજ શક્ર, ઈશાનેંદ્ર, અને સનકુમારના ત્રાયશ્ચિંશક દેવોના પૂર્વજન્મની વાત પણ સમજી લેવી. – શતક ૧૦, ઉદેવ ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy