________________
શ્રીભગવતી-સાર પાળવાનો નિર્ણય કર્યો હતો. અત્યારે પણ શ્રમણભગવાન મહાવીર પાસે તે બધા નિયમો લઉં છું, તથા સર્વ પ્રકારની ખાવાની વસ્તુને, સર્વ પ્રકારની પીવાની વસ્તુનો, સર્વ પ્રકારનાં મેવા-મીઠાઈને, અને સર્વ પ્રકારના મશાલામુખવાસને એમ ચારે જાતના આહારને જ્યાં સુધી જીવું ત્યાં સુધી ત્યાગ કરું છું. વળી દુઃખ દેવાને અયોગ્ય, ઇષ્ટ, કાંત અને પ્રિય એવું જે મારું શરીર છે, તેને પણ હું મારા છેલ્લા શ્વાસોચ્છાસે ત્યાગી દઈશ.” આ પ્રમાણે તેમણે ખાનપાનનો ત્યાગ કરી, ઝાડની પેઠે સ્થિર રહી, મૃત્યુની આકાંક્ષા કર્યા વિના રહેવા માંડયું.
આ પ્રમાણે દક મુનિ ૬૦ ટંક ખાધા વિના વીતાવી, પોતે કરેલા દોષોની કબૂલાત (આલેચના) અને પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત કરી, મરણ પામ્યા. પછી તેમને મરણ પામેલા જાણે પેલા સ્થવિર ભગવંતોએ તેમના પરિનિર્વાણ નિમિત્ત ધ્યાન (કાયોત્સર્ગ) કર્યું; તથા તેમનાં વસ્ત્રો અને પાત્ર લઈ તેઓ શ્રી મહાવીર ભગવાન પાસે આવ્યા અને શ્રી કુંદકમુનિના મરણની વાત કરી, તેમનાં વસ્ત્રપાત્રો તેમને નિવેદિત કર્યો.
પછી, “હે ભગવન !” એમ કહી ભગવાન ગૌતમે શ્રમણભગવાન મહાવીરને વંદન કરી આ પ્રમાણે પૂછ્યું :
૧. અહીં મૂળમાં તેમનાં આટલાં વિશેષણ આપ્યાં છે : સ્વભાવે ભઇ, વિનયી, શાંત, ઓછા ક્રોધ-માન-માયા-લોભવાળા, અત્યંત નિરભિમાની, ગુરુની ઓથે રહેનારા, કોઈને ન સંતાપનાર અને ગુરુભક્ત.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org