SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ર શ્રીભગવતી-સાર પણ વસ્ત્ર ઓઢા પહેર્યા વિના વીરાસને બેસી રહેવું. પછી બીજે મહિને તે જ પ્રમાણે નિરંતર છઠના એટલે કે છ ટંકના ઉપવાસ કરવા; પછી ત્રીજે મહિને નિરંતર અટ્ટમ એટલે કે આઠ ટંકના ઉપવાસ કરવા એથે માસે દશમ એટલે કે દશ ટંકના ઉપવાસ કરવા; પાંચમે માસે દ્વાદશ એટલે કે બાર ટંકના ઉપવાસ કરવાનું છછું ભાસે ચતુર્દશ એટલે કે ચૌદ ટંકના ઉપવાસ કરવાનું સાતમે ભાસે છેડશ એટલે કે સોળ ટંકના ઉપવાસ કરવા; આઠમે ભાસે અષ્ટાદશ એટલે કે અઢાર ટંકના ઉપવાસ કરવા; નવમે માસે વિંશતિ એટલે કે વસ ટૅકના ઉપવાસ કરવા; દશમે માસે દ્રાવિંશતિ એટલે કે બાવીશ કના ઉપવાસ કરવા; અગિયારમે ભાસે ચતુર્વિશતિ એટલે કે ચોવીસ ટંકના ઉપવાસ કરવા; બારમે ભાસે લવિંશતિ એટલે કે છવ્વીસ ટંકના ઉપવાસ કરવા; તેરમે માસે અષ્ટાવિંશતિ એટલે કે અઠ્ઠાવીસ ટૅકના ઉપવાસ કરવા, ચૌદમે માસે ત્રિશત એટલે કે ત્રીસ ટૅકના ઉપવાસ કરવા; પંદરમે માસે કાત્રિશત એટલે કે બત્રીસ રંકને ઉપવાસ કરવા; તથા સાળમે માસે નિરંતર ચોત્રીસ રંકને ઉપવાસ કરવા. દિવસ અને રાત દરમ્યાન જે રીતે બેસવાનું શરૂઆતમાં જણાવ્યું છે, તે બધે જ કાયમ ગણવું. નોંધ: આમ આ તપમાં કુલ તેર માસ અને સત્તર દિવસ ઉપવાસના છે, અને ૭૩ દિવસ પારણાના છે. તે ૧. દિવસે નિતંબના ભાગ જમીનને ન અડકે તેમ ઉભડક બેસવું; અને રાત્રે વીરાસને બેસવું એટલે કે સિહાસન વિના, સિહાસન ઉપર બેઠે હોય તે રીતે ઊભા રહેવું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy