________________
આય શ્રી કદ
૧૭૩ પવિત્રક (વીટી), ગણેત્રિકા (કલાઈનું ઘરેણું), છત્ર, પગરખાં, પાવડી અને ગેરુવાં વસ્ત્ર વગેરે ધારણ કરીને તે કૃતંગલા જવા નીકળ્યો.
આ તરફ મહાવીર ભગવાને ગૌતમને સંબોધીને કહ્યું, હે ગૌતમ! આજ તું તારી જૂને સંબંધીને જોઈશ.એમ કહી, તેમણે કંઇક કેવી રીતે આ તરફ આવવા નીકળ્યો હતો. તે કહી સંભળાવ્યું. ત્યારે ગૌતમે પૂછયું કે “તે આપની, પાસે દીક્ષા લેશે કે કેમ ?' ત્યારે મહાવીર ભગવાને હા પાડી..
એવામાં કંઇક ત્યાં આવી પહોંચ્યો; ગૌતમ ઊઠીને તેની. સામાં ગયા; અને તે શા માટે આવ્યા છે તે બધું તેને કહી. સંભળાવ્યું. આથી વિસ્મિત થઈ સ્કંદકે ગૌતમને પૂછયું કે, તમને આ બધું સ્વશક્તિથી જાણી લઈને કોણે કહ્યું? ત્યારે ગૌતમે મહાવીર ભગવાનનું નામ દીધું. પછી બંને મહાવીર, ભગવાન પાસે ગયા.
મહાવીર ભગવાન તે સમયે હંમેશ ભજન કરતા હતા. તેમનું શરીર ઉદાર, શણગારેલા જેવું, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલરૂપ, અલંકારો વિના પણ શોભતું તથા સારાં લક્ષણો, ચિહ્નો અને ગુણેથી યુક્ત હતું. તેમને જોઈ કુંદક
છે. એટલે કે માન તથા ઉન્માનયુક્ત. પાણીથી ભરેલી કુંડીમાં કોઈ પુરુષ પ્રવેશ કરે, અને જેના પ્રવેશથી તે ફીન ૩૨ શેર પાણી (દ્રોણ) બહાર નીકળે, તે માનયુક્ત કહેવાય. જે પુરુષનું વજન ૪૦૦૦ તોલા (અર્ધા ભાર) થાય તે ઉન્માનયુક્ત કહેવાય. પિતાના આંગળથી માપતાં જેની ઊંચાઈ ૧૦૮: આગળ હેય, તે પ્રમાણયુક્ત કહેવાય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org