SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર ૨. ઉત્તરગુણ પ્રત્યાખ્યાન બે પ્રકારનું છે. સર્વ—ઉત્તરગુણ પ્રત્યાખ્યાન, અને દેશ-ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. તેમાં સર્વ—ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના ૧૦ પ્રકાર છે: ભવિષ્યમાં જે તપ કરવાનું હોય તે પૂર્વે કરવું તે “અનાગત'; પૂર્વે કરવાનું તપ પછી કરવું તે “અતિક્રાન્ત'; એક તપ જે દિવસે પૂરું થાય તે જ દિવસે બીજું શરૂ કરવું, એ રીતે પ્રત્યાખ્યાનની આદિ અને અંત કોટી મેળવવી તે “કેટિસહિત '; નિયમિત દિવસે વિધ્ર આવ્યા છતાં અવશ્ય તપ કરવું, તે નિયંત્રિત': અપવાદપૂર્વક તપ કરવું તે “સાકાર'; અપવાદ સિવાય તપ કરવું તે “નિરાકાર'; કાળિયા, ઘર, ચીજ વગેરેનું પરિમાણ કરવું તે “કૃતપરિમાણ ; ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો તે “નિરવશેષ'; મુષ્ટિ ઇત્યાદિ સંકેતપૂર્વક તપ કરવું તે “સંકેત '; અને કાલનું પ્રમાણ કરી તપ કરવું તે “અહા.' દેશ–ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના સાત પ્રકાર છે: દશે દિશામાં અમુક ક્ષેત્રમાં જ પ્રવૃત્તિની મર્યાદારૂપ “દિવ્રત, ઉપભોગપરિભેગની વસ્તુઓનું પરિમાણ કરવું તે “ઉપભોગપરિભેગપરિમાણુ નિપૂજન અધર્મવ્યાપરને ત્યાગ તે “અનર્થદંડવિરમણ દુચિંતનને તથા કાયિક વાચિક પાપકર્મોને ત્યાગ કરી, સમતા ધારણ કરવારૂપ “સામાયિક;' દિગ્ગતમાં જે મર્યાદા બાંધી હોય, તેને રાત-દિવસ-પ્રહર પૂરતી વધુ ટૂંકાવવી તે “દેશાવકાશિક,” આઠમ, ચૌદશ, પૂનમ અને - ૧. એટલે કે વાળેલી મૂઠી ઉઘાડું નહિ ત્યાં સુધી અમુક કામ ન કરું ઇત્યાદિ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy