SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર શ્રીભગવતીસાર. જીવોનું કે પુગલોનું કંપન તે ભાવૈજના; અને મનુષ્યાદિ ભવમાં વર્તતા જીવોની એજના તે ભજના. –શતક ૧૭, ઉદ્દે ૩ રાજગૃહનગરને પ્રસંગ છે. મહાવીર ભગવાનના ભદ્ર પ્રકૃતિવાળા શિષ્ય માકંદિપુત્ર પ્રશ્ન પૂછે છે : માનંદિપુત્ર––હે ભગવન્! કાપોતલેશ્યાવાળા પૃથિવીકાયિક જીવ મરણ પામી, તુરત જ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે અને સિદ્ધ થઈ સર્વ દુઃખોને નાશ કરે ? મહ–હા ભાકદિપુત્ર! સર્વ દુઃખોને નાશ કરે. તે જ પ્રમાણે કાપતલેશ્યાવાળા અકાયિક અને વનસ્પતિકાયિક જીવનું પણ જાણવું. – શતક ૧૮, ઉદ્દે ૩ ૧૩ રાજગૃહનગરને પ્રસંગ છે: ગૌ–હે ભગવન ! છદ્મસ્થ મનુષ્ય પરમાણુપુદ્ગલને જાણે અને જુએ, કે ન જાણે અને ન જુએ? . ભ૦–હે ગૌતમ! કોઈ જાણે પણ જુએ નહીં, અને કોઈ જાણે નહીં અને જુએ પણ નહીં. એ પ્રમાણે અસંખ્યાતપ્રદેશિક સ્કધે સુધી જાણવું. અનંતપ્રદેશિક સ્કંધ (સ્કૂલ પણ હોવાથી તેમ) ની બાબતમાં આ પ્રમાણે જાણવું કેાઈ જાણે અને જુએ; કોઈ જાણે પણ જુએ નહીં, કોઈ જાણે નહીં પણ જુએ, અને કોઈ જાણે નહીં તેમ જુએ પણ નહીં. એ પ્રમાણે અવધિજ્ઞાનનું પણ જાણવું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy