SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકની વિવિધ શકિત - ૧૨૫ દર્શનાવરણયકર્મનો ઉદય ન હોવાથી કેવલજ્ઞાની છદ્મસ્થની પેઠે નિદ્રા લેતો નથી, તથા ઊભો ઊભો ઊંધતા નથી. –શતક ૫, ઉદ્દે ૪ ગૌ–હે ભગવન ! શેલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલ સાધુ કંપે, અને તે તે ભાવે પરિણમે? . મ–ના ગૌતમ! શેલેશી અવસ્થામાં આત્મા અત્યંત સ્થિરતાને પ્રાપ્ત થયેલ હોવાથી પરપ્રયોગ સિવાય ન કરે. ચોગ દ્વારા (પ્રવૃતિ) આત્મપ્રદેશનું અથવા પુદ્ગલદ્રવ્યોનું ચલન કે કંપન “એજના' કહેવાય છે. તેના દ્વવ્યાદિ પાંચ પ્રકાર છે. મનુષ્યાદિ છવદ્રવ્યનું કે મનુષ્યાદિ છવ સહિત પુલનું કંપન તે દ્રવ્યંજના; મનુષ્યાદિ ક્ષેત્રને વિષે વર્તમાન જીવોનું કંપન તે ક્ષેત્રજના; મનુષ્યાદિ કાળે વર્તમાન જીવોનું કંપન તે કોલેજના; ઔદયિકાદિ ભાવમાં વર્તતા ૧. દર્શનાવરણીય કર્મ “દર્શન” અર્થાત વસ્તુના સામાન્ય બધને આવરે છે, એટલું જ નહિ પણ, તેનાથી, સહેલાઈથી જાગી શકાય તેવી, કે સહેલાઈથી ન જાગે શકાય તેવી, તથા બેઠાં બેઠાં-ઊભા ઊભા-અને ચાલતાં ચાલતાં આવે તેવી નિદ્રા પણ પ્રાપ્ત થાય છે; તથા જાગૃત અવસ્થામાં ચિતવેલ કાર્ય નિદ્રાવસ્થામાં સાધવાનું બળ પણ પ્રગટે છે. જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, ૫. ૨૨૭. - ૨. ધ્યાનની નિશ્ચલઅવસ્થાજુઓ “અંતિમ ઉપદેશ” પા.. ૧૮૬, ૧૯૨૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy