SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આહત આગમનું અવલોકન [પ્રકરણ મતાંતર પ્રમાણે ૧૯૮૩માં વલભીમાં ચોથું સંધસંમેલન થયું અને તે વખતે આગમે પુસ્તકારૂઢ કરાયા, જોકે તે પૂર્વે પણ આગમ લિપિબદ્ધ થયેલા હોવાના પુરાવા મળે છે. પરંતુ એને આ પુસ્તકારેહણ જેટલું મહત્ત્વ નહિ અપાયાનું કારણ એમ જણાય છે કે આ પુસ્તકારહણ જેટલું સર્વમાન્ય અને સંપૂર્ણ તેમ જ માથુરી (સ્કાન્તિલી) અને વલભી (નાગાની ) વાચનાના સમયના પાઠભેદની યેગ્ય વ્યવસ્થા કરનારું બન્યું તેવું પૂર્વે નહિ થયેલું હોવું જોઇએ. આ પુસ્તકારોહણને અંગે હાલ તુરત તે આપણે નીચેની બાબતે નોંધી લઈશું – (૧) આ પુસ્તકારોહણના પ્રસંગે, એની પૂર્વે જે માથુરી અને વલ્લભી વાચનાએ થઈ તે સમયે જે શાસ્ત્રો લખાવી લેવાયાં હતાં તે ઉપરાંત જે જે જૈન ગ્રંથ, પ્રકરણ વગેરે તે વખતે મેજુદ હતાં તે પણ લખાવી લેવાયાં.૨ (૨) માથરી અને વલ્લભી વાચનાઓને બને ત્યાં સુધી સમન્વય કરા-બન્યું ત્યાં સુધી એ બે વચ્ચેનો ભેદભાવ મટાડી તેને એકરૂપ અપાયું અને જ્યાં તેમ થઈ શકયું નહિ ત્યાં મહત્ત્વપૂર્ણ ભેદોને પાયંતરરૂપે સ્થાન અપાયું. આ પ્રમાણેની વ્યવસ્થા કરાય બાદ માથરી વાચના મુજબ સર્વ સિદ્ધાન્ત લખાવાયા અને વલભી વાચનાના મતભેદ કે પાઠભેદને ચૂર્ણિ વગેરેમાં સ્થાન અપાયું, પરંતુ જ્યાં શ્રીનાગાર્જુનના અનુયાયીઓ તેમ થતાં અસંતુષ્ટ રહેવાનું કારણું જણાયું ત્યાં “વાયગંતરે કુળ” એવા ઉલ્લેખપૂર્વક તેને મૂળ ગ્રંથમાં સ્થાન અપાયું ૧ શ્રી મુનિસુંદરસૂરિએ પિતે રચેલા તેત્રરત્નકેશમાં કહ્યું છે કે – " वीरात विनन्दाङ्गशरवचीकरत, त्वचैत्यपूते ध्रुवसेनभूपतिः॥ यस्मिन् महैः संसदि कल्पवाचनामाया तदानन्दपुरं न कः स्तुते ? ॥" | (સુબાધિકાના ૧૨૬ આ પત્રમાંથી ઉદd). પજજુસબુકની મુદ્રિત આવૃત્તિ (પત્ર ૩૭ અ- આમાં ૧૪મા સૂરમાં કહ્યું છે કે "समणस्स भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पहीणस्स नव वाससयाई विइकंताई दसमस्त य वाससयस अयं असीइमे संवच्छरे काले गच्छइ, वायणंतरे पुण अयं तेणउए संवच्छर इइ दीइ" ૨ જુઓ વીર નિર્વાણુ સંવત્ ઓર જેન કાલગણ (પૃ. ૧૧૨). ૩ આવો એક ઉલેખ પજુસણાકપમાં જોવાય છે. જુઓ આ પૃષ ઉપરનું પહેલું ટિપણ ૪ જુઓ વીર નિર્વાણુ સંવત આર જેન કાલગણુના (પૃ. ૧૨-૧૧૭) અને તેમાં ખાસ કરીને કહાવલીને ૧૧૨માં પૃષ્ઠમા અપાયેલ લેખ "पप्परसंपण्णमेलावा य तस्समयाओ खंदिल्लनागज्जुणायरिया कालं का देवलो गया। तेण तुल्याए वि तदुवरियसिद्धताणं जो जाओ कथय (कदम व) वायणाभेओ सोय न चालि पच्छिमेहिं । तो विवरणकारेहिं पि नागज्जुणीया उण एवं पढन्ति त्ति समुल्लिंगमा रहे वायाराइसु ।' અહીં વિવરણકારોએ “નાગજુણુયા” એમ કહે છે એમ જે કહ્યું છે તે હકીકત આયાત શ્રીશીલાંકસૂરિકૃત ટીકાંમાં નીચે મુજબ જોવાય છે.--- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy