________________
પ્રાસંધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ “સંધસંમેલન’ કહે, “સંઘસમવાય' કહે કે “સંધને મેળાવડા' કહો તે એક જ છે. એવાં ચાર વિશિષ્ટ સંધસંમેલને શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૯૮૦ કે મતાંતરે પ્રમાણે ૯૯૩ વર્ષ દરમ્યાન થયા છે. પહેલાં ત્રણ સંધસંમેલનમાં જૈન આગમોના વાચન અને અનુસંધાન નિમિત્તરૂપ હતાં, જ્યારે ચેથામાં એ આગમનું પુસ્તકારોહણ-લેખન નિમિત્તરૂપ હતું. પહેલું સંધસંમેલન ચંદપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીના જીવન દરમ્યાન વીરસંવત ૧૬ન્ના અરસામાં પાટલિપુત્રમાં થયું હતું. એ સમયે થયેલી જૈન આગમોની વાંચનાને પાટલિપુત્રી વાચના” કહેવામાં આવે છે.
બીજા અને ત્રીજા સંધસંમેલન વીરસંવત ૮૨૭ થી ૮૪૦ના ગાળામાં થયાં હતાં. એમાંનું એક આર્ય ઋન્દિલના આધિપત્ય હેઠળ મથુરામાં થયું હતું અને બીજું પ્રાયઃ એ જ સમયે આર્ય નાગાર્જુનના અધિપત્ય હેઠળ વલભીમાં થયું હતું. આ બંને વખતે સમકાને થયેલી આગમની વાચનાને અનુક્રમે માથરી યાને સ્કદિલ અને વલ્લભી યાને નાગાર્જુની તરીકે ઓળખાવાય છે.'
વખત જતાં શ્રીદેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપણા હેઠળ વીરસંવત ૪૯૮માં અને
૧ આ મતાંતર છે તે વીરનિર્વાણસંવતની ગણનાની ભિન્નતાને આભારી છે એટલે કે પસ્તકાકાહાણના સમયમાં એ સમયમાં થયેલા કેટલાક મનિએ શ્રીવીરનું નિર્વાણ ૯૮૦ વર્ષ પૂર્વે થયાન એ સમયે કહેતા હતા તો કેટલાક એ નિર્વાણ ૯૯૩ વર્ષ પૂર્વે થયાનું કહેતા હતા.
૨ માધુરી વાચનાની ઉત્પત્તિ પરત્વે બે મત નંદીસુતચુણિના આઠમા પત્રમાં નીચે મુજબ નેધાયેલા છેઃ
" बारससंबच्छरीए महंते दुभिक्खकाले मिक्खट्ठा अण्णतो ठिताणं गहण-गुणणा-Sणुपेहाऽभावतो मुत्ते (1) विप्पण? पुणो मुभिक्खकाले मधुराए महंते साधुसमुदाए खंडिलायरियप्पमुहसंघेण जो जं संभरइ त्ति एवं संघडितं । जम्हा य एतं मधुराय कतं तम्हा माधुरा वायणा भण्णति। अण्णे भणंति-जहा सुतं णो णटुं तम्मि दुभिक्खकाले, जे अण्णे पहाणा अणुयोगधरा ते विणहा, एगे खंडिलायरिए संधरे, तेण मधुराए अणुयोगो पुन साधूणं पवत्तिओ ति सा माहुग वायणा મતિ ”
૩ આ સંબંધમાં કહાવલીની હસ્તલિખિત પ્રતિમાં નીચે મુજબ ઉલ્લેખ છે – __"अस्थि महुराउरीए सुयसमिद्धो खंडिलो नाम सूरी, तहा बल हिनयरीए नागज्जुणो नाम सरी। तेहि य जाए बारसवरिसिए दुक ले निव्व उभावओ विफुर्हि (१) कारुण पेनिया दिसोदिमि साहयो। गमि च कहवि दुत्थं, ते पुणो मिलिया सुगाले। जाय मज्झायंति ताव खंडुखरुडीहूयं पुष्वाहीयं । ततो मा सुयवोच्छित्ती होउ ते पारद्धो सूहि सिद्धंतुद्वारो। तत्थ विजं न वीसरिय तं तहेव संठवियं । पम्हुद्वाणं उण पुवावरावडतमुत्तत्याणु भारओ कया संघडणा।" ૪ સરખા સુબોધકા (પત્ર ૧૨૬ અ)માં અવતરણરૂપે આપેલું નીચે મુજબનું પદ –
"वलहिपुरम्मि जयरे देविष्टिपमुहमयलंस घेहि । पुत्थे आगमलिहिलो नवसयसियाओ वीराओ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org