________________
૨૭૫
જેના ઓસવાલમાં સુરાણું વગેરે ૧૦૫ ગોત્ર અને શ્રીમાળામાં ૩૫ ગોત્ર સ્થપાયાં છે. સં. ૧૧૮૧ લગભગમાં ફલોષિ પાર્શ્વનાથ પ્રકટયા તે ઉત્સવમાં આચાર્યશ્રી હાજર હતા. તેમણે ધમ્મકપદમ” ગ્રંથ બનાવ્યો છે. આ આચાર્યથી “ધર્મષશાખા નીકળી છે અને તેમાંથી “સુરાણાગચ્છ શરૂ થયો છે. ધર્મઘોષશાખાના જેને આજે એક સામાચારી હેવાના કારણે તપગચ્છને માને છે. આ ધર્મષ તે બીજાયુગના ૧૮માં યુગપ્રધાન છે, જેમને યુગપ્રધાનકાળ વીર સંવ ૧૫૨૦ થી ૧૫૯૮ વિ. સં. ૧૧૧ થી ૧૧૮૮ છે.
૧૧ રત્નસિંહસૂરિ તેમના ગુરુ ભાઈ આ યશોભદ્રે “પ્રત્યક્ષાનુમાનાધિક પ્રકરણ અને તેમના શિષ્ય આ પૃથ્વીચ “કલ્પસૂત્રનું ટીપ્પન રચ્યું. ૧૨ દેવેંદ્રસૂરિ. તેમની પરંપરાના આ૦ રત્નાકરસૂરિએ પ્રતિષ્ઠા કરેલ અને સાધુ પિથો ભરાવેલ ભ૦ અભિનંદન સ્વામીની પ્રતિમા શત્રુંજય તીર્થમાં વિદ્યમાન છે. ૧૩ રત્નપ્રભસૂરિ, ૧૪ આણંદસૂરિ, ૧૫ અમરપ્રભસૂરિ, ૧૬ જ્ઞાનચંદ્રસૂરિ. તેમણે સં. ૧૩૭૮માં વિમલવસહીમાં જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા કરાવ્યાં, ૧૭ મુનિશેખરસૂરિ, ૧૮ સાગરચંદ્રસૂરિ, તેમના ગુરુભ્રાતા આ૦ માણેકચંદ્રસૂરિએ “કાવ્યપ્રકાશ-સંકેત, પાર્શ્વનાથચરિત્ર, નલાયન' વગેરે ગ્રંથો બનાવ્યાં. ૧૯ મલયચંદ્રસૂરિ, ૨૦ પદ્મશખસૂરિ, ૨૧ પદ્માનંદસૂરિ, ૨૨ નંદિવર્ધનસૂરિ, ૨૩ નયચંદ્રસૂરિ.
૫૪ ૧૦૯, પૃષ્ઠ ૧૧૮ઃ કડી ૬, ૭, ૮ : “ ચાર ગ્રંથ”
કવિરાજ કવિબહાદુર શ્રીદીપવિજયજીએ જ આ સહમકુલ પદાવલીરાસ” ૧ આ. મુનિસુંદસૂરિની ગુવવલી', ૨ ઉ૦ ધર્મસાગરજીગણિની“ તપમચ્છ પદાવલી', ૩ આઇ દેવેંદ્રસૂરિને “પસહયંત્ર', (સમકાલસરમણ સંઘથયું' સાવચૂરિક ) ૪ આ. પ્રભાચંદ્રસૂરિનું “પ્રભાવચરિત', અને ૫ આ૦ દેવધિંગણિ ક્ષમાશ્રમણની “સ્થવિરાવલી' એમ પાંચ ગ્રંથોના આધારે બનાવ્યા છે છતાં તેમણે “ ચાર ગ્રંથ અનુસારે કીધ” એમ લખ્યું છે તેથી ૬૫સહયંત્ર ને માત્ર યંત્રરૂપે દેખી તેને એક છેડી બાકીના ચારને ગ્રંથ” તરીકે ઓળખાવ્યા હોય એમ અનુમાન થાય છે.
ઉપરના પાંચે પૂજ્ય આચાર્યો અને ઉપાધ્યાયોનો પરિચય અનુક્રમે આ ગ્રંથમાં મુદ્રિત પૃષ્ઠ ૮૧, પૃ૪ ૨૬૯ પૃષ્ઠ ૭૩, પૃઇ ૨૭૪ અને પૂઇ ૨૬માં આવી ગયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org