SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ર પટ્ટાવક્ષસસુરાય, ભા. ૧ - ૧, આ નજરિ. તેલવાડાના રાજા હતા. વનવાસી ગછના હતા પરંતુ રાજા હોવાથી તેમનો રાજગછ કહેવાય. ૨. અજિત શેદેવસૂરિ, . સર્વદેવસૂરિ, ૪. પ્રદ્યુમ્નસૂરિ. તેઓ યે દર્શનના અભ્યાસી હતા, પ્રકાંડ વાદી હતા, વાલિયર, ત્રિભુવનગિરિ અને ચિત્તોડના રાજાએ તેમને ગુરુ તરીકે માનતા હતા, તેમણે તલપાટકમાં અરાજાની સભામાં દિગબરાચાર્યને તી પોતાના શિષ્ય બનાવ્યો હતો, અને તે નિમિતે વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો, જે આજે પણ ચિત્તોડના કિલ્લામાં જૈનસ્તંભ તરીકે વિખ્યાત છે. અલૂરાજ જૈનધર્મી બન્યો હતો. ૫ તર્ક પંચાનન આ૦ અભયદેવસૂરિ. તેઓ રાજર્ષિ તરીકે વિખ્યાત છે તેમણે “સમ્મતિતર્કની ૨૫૦૦૦ Aોક પ્રમાણ “તવબોધવિધાયિની’ ટીકા બનાવી છે. તે લબ્ધિસંપન્ન આચાર્ય હતા, ૬. ધનેશ્વરિ. તે ત્રિભુવનગિરિના રાજા હતા. તેમના શરીરમાં ઝેરી ફોલ્લા થઈ આવ્યા હતા, જે આ અભયદેવસૂરિના ચરણપ્રક્ષાલન જળથી શમી ગયા એટલે તેમણે દીક્ષા લીધી અને અનુક્રમે આચાર્યપદ પ્રાપ્ત કર્યું. મુંજરાજા તેમને ગુરુ તરીકે માનતા હતા. તેમણે ચિત્રપુરીમાં ૧૮૦૦૦ બ્રાહ્મણને જેન બનાવી ભ૦ મહાવીરનું દેરાસર બનાવી ચૂત્રવાલ અ૭ સ્થાપ્યો. તેમનાથી ૧૮ શાખાઓ નીકળી છે. ૭ અજિતસિંહર, ૮. વર્ધમાનસૂરિ. તેમણે વનવાસીગચ્છના આ વિમલચંદ્રસૂરિના શિષ્ય વિરમુનિને સૂરિપદ આપ્યું. જેનાથી કમ્બાઈયા, અષ્ટાપદ વગેરે શાખાઓ નીકળી છે, ૯. શીલભદ્રસૂરિ. તેમણે ૧૨૫ વર્ષની ઉંમરથી ૬ વિગઈએનો ત્યાગ કર્યો હતો, તે સમર્થ ઉપદેશક હતા. તેમના પ્રથમ પટ્ટધર આ ચંદ્રસુરિ હતા, તેમની પરંપરાના આ૦ પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં “પ્રભાવચરિત્ર' બનાવ્યું. આ૦ મેરૂતુંગસૂરિ આ ચંદ્રપ્રભસૂરિના બીજા પટ્ટધર હતા. તેમણે વિ. સં. ૧૩૬૧ ફા. શુ0 ૧૫ રવિવારે વઢવાણ શહેરમાં પ્રબંધચિંતામણિ ગ્રંથ બનાવ્યો છે. તેમની પાટે ખ૦ ગુણચંદ્ર થયા છે. (પ્રબંધચિંતામણિ') ૧૦. ધર્મઘોષસૂરિ તેમને અંબિકાદેવી પ્રસન્ન હતી, તેમણે નાગરના રાજા આહૃણદેવ, શાકંભરીના રાજાઓ અજયરાજ, અર્ણરાજ, અને વિગ્રહરાજ વગેરેને જૈનધર્મપ્રેમી બનાવ્યા હતા. રાજસભામાં અનેક વાદીઓને જીત્યા હતા, તેમના ઉપદેશથી વિગ્રહરાજે અજમેરમાં રાજવિહાર બનાવી તેમાં મોટા જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી અને અરિસિંહ તથા તથા માલવનરેશને સાથે રાખી પિતે જ કલશદંડ તથા વજા ચડાવ્યાં હતાં. તેમજ અગિયારશ વગેરેની અમારી પળાવી હતી. આચાર્યશ્રીના ઉપદેશથી બીજાં ઘણું જિનાલયો બન્યાં હતાં. બ્રાહ્મણ વગેરે જેન બન્યા હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy