________________
કરી
સામાયિક પ્રતિક્રમણ કરવાં, ૭ વિશેષ સામાયિક કરવાં, ૮ સામાયિકમાં મુહપત્તિ ચરવા રાખવા, ૯ સામાયિક લઈ ઈરિયાવહી કરવી, ૧૦ પર્વ સિવાય પણ પિષધ કરવો, ૧૧ પિષધ ત્રિવિહાર વિહાર થાય, ૧૨ બીજી વાંદણું બેઠાં બેઠાં દેવું, ૧૩ પુનમે પાખી કરવી, ૧૪ ચેાથે સંવત્સરી કરવી, ૧૫ બે શ્રાવણ કે ત્યારે બીજા શ્રાવણમાં સંવત્સરી કરવી, ૧૬. બે કાતિક હોય ત્યારે બીજા કાર્તિકે માસી કરવી, ૧૭ ભાલારોપણ નહીં, ૧૮ વાસી કઠોળને ત્યાગ, ૧૯ દ્વિદલ ભક્ષવાનો ત્યાગ, ૨૦ વીરનાં પાંચ કલ્યાણકમાન્ય, ૨૧ અત્યારે દશમું અડે ચાશે કે, ૨૨ સૂત્રપંચાંગી ઇત્યાદિ અનેક બેલની પ્રરૂપણ કરી. વધુમાં સંવરી ગૃહસ્થના ૧૦૧ બોલ પુરુષને, શીલપાલનના ૧૦૪ એલ, સ્ત્રીઓને શીલપાલનના ૧૧૩ બાલની પ્રરૂપણ કરી ઘણુ સંવરી શ્રાવક બનાવ્યા.ઘણુ શહેરોમાં પોતાનો મત ફેલાવ્યો. મૃત્યુ સં. ૧૫૬૪ (૧૫૬૨), (૨) શા. ખીમજી મૃત્યુ સં. ૧૫૭૧, (૩) વીરા મૃત્યુ સં. ૧૬૦૧, (૪) સા. જીવરાજ મૃ૦ સં. ૧૬૪૪, (૫) શા) તેજપાલ મૃ• સં. ૧૬૪૬, (૬) સારતનપાલ મૃત સં. ૧૬૪૧, (૭) શા. જિનદાસ મૃ. સં. ૧૬૭૦, (૮) શા. તેજપાલ વિદ્યમાન સં૦ ૧૬૮૪, (૯) શા. કલ્યાણ વિદ્યમાન સં. ૧૬૮૪, (૧૦) શાહ ભલુ, (૧૧) શા ભાણુ, (“કડુ આમતની લઘુપટ્ટાવલી' જ. સા. સં. ખ૦ ૩ ૩ સં . ૧૯૮૪).
પષ્ટ ૮૩, કડી ૫: વિજયમતપરંપરા–
(૧) વિજયઋષિ તેમના નામથી વિજયમત ચા, વિ. સં. ૧૫૭૦, (૨) ઋષિ ધર્મદાસજી, (૩) ખેમસાગરજી, (૪) પદ્મસાગરજી, (૫) ગુણસાગરજી. તેમણે સં૦ ૧૬૭૬માં “ઢાલસાગર રાસ' બનાવ્ય, (૬) ઋષિ કેશરાજજી. તેમણે સં. ૧૬૮૩માં આંતરોલી કે આતરસુંબામાં ક. સ. આ શ્રી હેમચંદ્રસૂરિના રામચરિત્રના આધારે “રામયશોરસાયન રાસ” અના સ્થાનકમાર્ગી સમાજમાં આ રાસ પ્રત્યે ઘણે આદર છે*
• અમદાવાદના મેનીલાલ મનસુખરામ શાહ “જનહિતેચ્છુ'ના તંત્રએ આ રાસ પ્રકાશિત કર્યો હતો પરંતુ તે પૂર્વાગ્રહવાળા સ્થાનકમાણી જેન હોવાથી તેમણે મૂળ રાસમાં રહેલ જિન પ્રતિમાના પાડોને ઉડાવી તેને સ્થાને ઈચ્છા પ્રમાણે પાઠ ગોઠવી તે રાસ છપાવ્યો હતો. પછી સુરતના શેઠ જીવણચંદ સાકરચંદ જવેરીએ સં૦ ૧૯૭૨ માં શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તકેદાર ફંડ તરફથી શ્રી આનંદકાવ્ય મહોદધિ' મૌક્તિક બીજામાં આ રાસ અસલીરૂપમાં પ્રકાશિત કર્યો છે. સાથોસાથ મોતીલાલશાહે કરેલ પાઠની ઉઠાવગીરીને પણ મુખબંધમાં સાફ એક સપ્રમાણ વહેર કરી દીધી છે. રાસની રચનાશેલી રસભરી અને સુંદર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org