________________
૨૩૧
સિક્કાઓ ગર્દભસેનના છે એવી માન્યતા છે. આહેડના ટીલાઓમાંથી ગ્રંથકારના સમયે ગઈયા મળતા હતા; એમ આ ઉલ્લેખ પરથી સમજી શકાય છે.
૫૪ ૫૩, ઢાળ ૨૪ : વસ્તુપાલ (ભાષાવાર્તિક) :
આ ઘટનામાં કુમારદેવીએ વિધવાવિવાહ કર્યાનું સૂચન છે? પરંતુ તે વાત વસ્તુપાલના સમકાલીન વિદ્વાનોના કાઈ ગ્રંથમાં લખાયેલ નથી. જેમકે—કવિ સંમેશ્વરકૃત “કાર્તિકૌમુદી' અને “સુરત્સવ”ને છેલ્લો સર્ગ, ઉલાસરાઘવ’ના સગ્ગત કે (સં. ૧૨૮૨), “ગિરનાર પ્રશસ્તિ ” આબૂ પ્રશરિત' (સં. ૧૨૮૮) આ જયસિંહરિફત “હમ્મીરમદમર્દન', વતુપાલ પ્રશસ્તિ કાવ્ય,' આ ઉદયપ્રભકૃત “ધર્માલ્યુદયકાવ્ય', સુકૃતકૃતિકોલિની' અરિસિંહકૃત "સુકૃતસંકીર્તન' (સં. ૧૨૮૫), આ બાલચંદ્રકૃત “વસંતવિલાસ કાવ્ય,” આ૦ જિનપ્રભકત “તીર્થકલ્પ' આ૦ રાજશેખરકૃત “ચતુર્વિશતિ પ્રબંધ” સં. ૧૪૦૫, આ જિનહર્ષકત “વસ્તુપાલચરિત્ર” સં. ૧૪૯૭ વગેરે, વગેરે.
મંત્રી વસ્તુપાલની વંશાવલી:
(૧) પિરવાડ મંત્રી ચંડપ, (૨) મંત્રી ચંડપ્રસાદ, (૩) મંત્રીશર મંત્રી સેમ, મંત્રી સેમ તે સિદ્ધરાજને કોષાધ્યક્ષ હતા. તે અરિહંત ભગવાન, આ૦ હરિભદ્ર અને ગૂર્જરેશ્વર સિદ્ધરાજને જ માનતો હતો. તે ધર્મપ્રિય, ગુણવાન, વિદ્વાન અને દાની હતી. તેને સીતા નામે પત્ની હતી. (૪) આસરાજ. તે દંપતિ આભની પુત્રી કુમારદેવીને પરણ્યો. તેને ૧. લુણિગ, ૨. માલદેવ, ૩. વસ્તુપાલ, ૪. તેજપાલ, એમ ૪ પુત્રો અને જા, માઊ, સાઊ, ધનદેવી, સેહગા, વય, અને પરમલ, એમ ૭ પુત્રીઓ હતી. માલદેવને લીલાદેવી તથા પ્રતાપદેવી પત્ની અને પુત્ર પૂર્ણસિંહ, પુત્રવધૂ આહણદેવી અને પૌત્ર પેથડ હતો. મંત્રી વસ્તુપાલને પત્ની લીલાદેવી અને વેજલદેવી, પુત્ર જેત્રસિંહ. મંત્રી તેજપાલને પત્ની અનુપમાદેવી અને સુહડાદેવી. અનુપમાદેવી પુત્ર લૂણસિંહ. ૧૨૯૬માં ભરૂચને હાકેમ હતો. તેને પત્ની રયણાદેવી લખમાદેવી અને પુત્રી ગીરીદેવી હતાં. તેજપાલને સુહડાદેવીથી પુત્ર સુહડ અને પુત્રી બઉલા નામે હતાં. સુહસિંહને પત્ની સુહડાદેવી અને સુલખણદેવી હતાં, તેજપાલનું સં. '૧૩૦૮માં ચંદ્રમાં મૃત્યુ થયું. (૫) મંત્રી વસ્તુપાલ, પત્ની લીલાદેવી. તે બહુ બુદ્ધિશાળા હતી. અને વેજલદેવી, (૬) લીલાદેવી પુત્ર જત્રસિંહ, સં. ૧૨૭૯માં ખંભાતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org