________________
૨૮
પટ્ટાથોસાય, ભા. ૧
(૩૮) આ પ્રભાનંદસરિ. વીરવંશાવલીમાં આ આચાર્યનું નામ સૂચવ્યું નથી. આ નાણુ ગચ્છના આદિ આચાર્ય છે. (૪૦) ધર્મચંદ્રસૂરિ. (૪૧) આ૦ વિનયચંદ્રસૂરિ. (૪૨) આ૦ ગુણસાગરસૂરિ. (૪૩) આ૦ વિજયપ્રભસૂરિ. (૪૪) આ૦ નરચંદ્રસૂરિ. (૪૫) આ૦ વીરચંદ્રસૂરિ. તેઓ પાલખીમાં બેસતા હતા. વઢવાણમાં સ્વર્ગે ગયા.
(૪૬) આ૦ જયસંઘસૂરિ તેમના ગુરુ ભાઇ તિલકમુનિથી પાટણમાં તિલકશાખા' નીકળી.
(૪૭) આ૦ આર્યરક્ષિતરિ. તેમને સં૦ ૧૧૩માં દત્રાણામાં જન્મ, સં. ૧૧૪૬માં દીક્ષા, સં. ૧૧૫લ્માં રિપ૬, સં. ૧૧૬માં ભાલેજમાં ફરી વાર સૂરિપદ, અને સં. ૧૨૩૬માં પાવાગઢમાં સ્વર્ગ. તેમનું બીજું નામ ઉ૦ વિજયચંદ્ર પણ હતું. તેમણે ૨૧ ઉપવાસ કરી કાલીને આરાધી સં. ૧૧૬૯માં ૭૦ બોલ પ્રરૂપી “વિધિપક્ષગચ્છ સ્થા. જેનું સં. ૧૨૧૩માં
અંચળગછ એવું બીજું નામ પડયું. પાવાગઢની દેવી મહાકાલી આ ગચ્છની અધિષ્ઠાયિકા હતી. આ આચાર્યું અનેક જન ગાત્રો બનાવ્યાં છે.
(૪૮) આ૦ જયસિંહસૂરિ. આ વાદી દેવસૂરિએ દિગમ્બર વાદી ભ૦ કુમુદચંદ્રને છે ત્યારે આ આચાર્ય તેઓના સહગી હતા. તેમના ઉપદેશથી હસ્તિકુંડીના રાજાએ સં. ૧૨૦૮ માં પોતાના નગરમાં ભ૦ મહાવીરસ્વામીનું ભવ્ય મંદિર કરાવ્યું હતું. આ સમયે સં. ૧૨૧૭થી “હર્ષશાખા' નીકળી. આ આચાર્યે ઘણુ નવા જેને બનાવ્યા છે અને જુદા જુદા ગ્રંથ ઉ૫ર ટીકા રચી છે.
(૪૯) ધર્મઘોષસૂરિ. સ્વ. સં. ૧૨૬૮. તેમણે “શતપદી' ગ્રંથ રચ્યો છે. (૫૦) મહેદ્રસરિ. તેમણે પ્રાકૃતમાં તીર્થમાલા' તેની ઉપર ૩૦૦૦
પ્રમાણ ટીકા, “શતપદીનું વિવરણ અને ગુરુગુણષત્રિશિકા વગેરે ગ્રંથ બનાવ્યા છે.
(૫૧) સિંહપ્રભસરિ. તેમને સં. ૧૨૮૩માં જન્મ, સં. ૧૨૪૧ માં દીક્ષા, સં. ૧૩૦૯ભાં સૂરિપદ અને સં. ૧૩૧૩માં સ્વર્ગ.
(૫૨) આ અજિતસિંહરિ. સ્વ. સં. ૧૩૩૯ (૫૩) આઇ દેવેંદ્રસૂરિ. (૫૪) આ૦ ધર્મપ્રભસૂરિ. (૫૫) આ સિંહતિલકસૂરિ. (૫૬) આ૦ મહેદ્રપ્રભસૂરિ.
(૫૭) આ૦ મેરૂતુંગસૂરિ. તેમણે સં. ૧૪૩૮માં “અંચલગચ્છની પટ્ટાવલી' બનાવી. તેમજ બાલબધ વ્યાકરણ ભાવકર્મ પ્રક્રિયા, શતકભાષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org