SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પુરવણ ૨૭ અહીં આ૦ હેમચંદ્રસૂરિના પિતાનું નામ “ચાચિક અને માતાનું નામ ચાહીરી' જણાવેલ છે. પરંતુ “પ્રભાવક ચરિત્ર' વગેરેમાં તેમની માતાનું નામ “પાહિની” આપેલ છે. એટલે “પાહિની” નામ બરાબર છે. પૃષ્ઠ ૪૨, કડી ૧૯ : “નમનરૂપ સાંહમી રહી રે” : અહીં સૌરાષ્ટ્રમાં નગ્ન પમણીને સામે રાખી મંત્રારાધન કર્યાનું સૂચન કરેલ છે. પરંતુ “પ્રભાવકચરિત્રમાં આ ઘટનાને આ રીતે ઉલ્લેખ નથી. તેમાં તે જણાવ્યું છે કે, સમચંદ્ર મુનિએ ગીતાર્થની અનુમતિથી ગિરનાર પર નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ સ્થાપી ધ્યાન કર્યું. આથી તેમને સરસ્વતી દેવીએ પ્રત્યક્ષ થઈ ઇચ્છિત વરદાન આપ્યું. વળી “વીરવંશાવલી'માં લખ્યું છે કે, આ દેવચંદ્રસૂરિ, ઋષિ સોમચંદ્ર અને આ મલયગિરિજી એ ત્રણેએ કુમારિયા ગામમાં ભવ્ય ઋષભદેવના દેરાસરના ભોંયરામાં દિગમ્બર થઈ સામે નગ્ન પહ્મણને ઊભી રાખી. તેણીના સ્વામી શ્રીમાળી શેઠને હાથમાં નાગી તલવાર આપી અને વિકાર થાય તે તેનું માથું કાપી નાખવું એવી ભલામણ કરી ધ્યાન કર્યું. આથી મંત્રાધિષ્ઠાયક દેવ હાજર થયો અને તે ત્રણેને અનુક્રમે ૧ વીરવશ્ય થશે, રાજાને પ્રતિબોધ કરી શકશે. ૨ અને ૩ સિદ્ધાંતની ટીકા બનાવી શકશે એવાં વરદાન આપી ચાલ્યો ગયો. ત્યાર પછી આ દેવચંદ્રસૂરિ શિષ્ય સાથે વિહાર કરી ગિરનાર પધાર્યા. પૂર્ણ ૪૬, કડી ૩. “તીન તવા ગુરે ધિયા” : અહીં ગુરુજીએ ત્રણ લોઢાના તવા વીંધ્યાનું સૂચન છે. પરંતુ આ ઘટના પ્રભાવક ચરિત્ર વગેરેમાં મળતી નથી. એટલે આ ઘટના કેટલી સાચી છે, તેને નિર્ણય થઈ શકે તેમ નથી. પૃષ્ઠ ૫૧, કડી રપ : “બારમેંહે ઓગણપચાસમેં રે”: અહીં કઇ સ૦ શ્રીહેમચંદ્રસૂરિને સ્વ. સંવત સં. ૧૨૪૯ બતાવ્યા છે, તે બરાબર નથી, સં. ૧૨૨૯ જોઈએ. | પૃષ્ઠ પર કડી ૨: અંચળગચ્છ પટ્ટાવલીઃ " (૩૫) આ૦ ઉલ્લોતનરિથી વડગ૭ કહેવાયો. (૩૬) આ સવદેવસરિ, તેઓ શંખેશ્વર તીર્થમાં વધુ રહેતા, તેથી તેમને “શંખેશ્વરગચ્છ કહેવાય. (૩૭) આ૦ પવદેવસૂરિ તેઓ આ સર્વદેવસૂરિના લઘુ ગુરુભાઈ હતા. (૩૮) આ ઉદયપ્રભસૂરિ. આ સમયથી કુલગુરુઓએ જેનોની વંશાવલી લખવાની શરૂઆત કરી. આ આચાર્યું અનેક કુટુંબોને પ્રતિબોધી જેન બનાવ્યા હતા. આ સમયે શંખેશ્વરમચ્છમાં નાણુને “નાણકગ અને નાડેલને વલભીમ એક બે ભાગ પડયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy