________________
(૪૧) આ વાદી દેવસૂરિ, (૪૨) આ ભદ્રેશ્વરસૂરિ, (૪૩) આ વિજયચંદ્રસૂરિ, (૪૪) આ૦ માનભદ્રસૂરિ, (૪૫) આ ગુણભદ્રસૂરિ. તેમને બાદશાહ મહમ્મદે તેમની કોક રચનાથી પ્રસન્ન થઈ અયુત સેનૈયા આપવા ધાર્યું, કિન્તુ તેમણે સ્વીકાર્યું નહીં અને શુદ્ધ સાધુ માર્ગની સ્થાપના કરી. તેઓ વ્યાકરણ, છંદ, સાહિત્ય-અલંકાર, નાટક અને ન્યાયના અજોડ અભ્યાસી હતા, (૪૬) આ૦ મુનિભદ્રસૂરિ. તેમને બાદશાહ પીરોજશાહ ખૂબ માનતો હતો. તેમણે આ વાદી દેવસૂરિએ રચેલ “શાંતિનાથ-મહાકાવ્યના આધારે સં. ૧૪૧૦ માં “શ્રી શાંતિનાથમહાકાવ્ય બનાવ્યું.
(૪) આ૦ વાદીદેવસૂરિ, (૪૨) આ૦ જયપ્રભસૂરિ, (૪૩) આ૦ રામભદ્રસૂરિ, તેમણે “પ્રબુદ્ધરહિણેય-નાટક તથા કાલિકાચાર્ય-કથા' બનાવેલ છે. જાલોરમાં ચૌહાણ સમરસિંહ રાજા હતા, ત્યારે તેના ભંડારી પાસના પુત્ર-૧ યશવીર અને ૨ અજયપાલ મંત્રીઓ હતા. મંત્રી અજયપાલે જાલોરમાં ભ૦ આદીશ્વરનું મંદિર બનાવ્યું હતું, તેમાં યાત્રોત્સવ પ્રસંગે આ “પ્રબુદ્ધરહિણેય’ નાટક ભજવાયું હતું.
(૪૧) આ વાદી દેવસૂરિ, (૪૨) આ. વિજયચંદ્રસૂરિ, (૪૩) આઇ માણિજ્યસૂરિ, સં. ૧૩૮૪.
(૪૧) આ વાદી દેવસૂરિ સત્તાનીય ભિન્નમાલ વડગચ્છ. (૧) આ૦ વીરદેવસૂરિ, (૨) આ૦ અમરપ્રભસૂરિ, (૩) આ૦ કનકપ્રભસૂરિ. તેમના ઉપદેશથી સં. ૧૫૫૧ વ. શુ૬ શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં માંડવગઢની દક્ષિણ તળેટીમાં આવેલા તારાપુરમાં શ્રીમાલી વહોરા ગોપાળે ભ૦ શ્રી સુપાર્શ્વનાથને પ્રાસાદ કરાવ્યો. ('જન સત્ય પ્રકાશ' ક્રમાંક : ૨૫)
મડાહડગચ્છ, થારાપદ્રગેછ અને પિપલગચ્છ પણ વડગચ્છની જ શાખાઓ છે. (આબૂ' ભા. ૫, લેખાંક ૬૬, ૨૭૮).
બગચ્છના થારાપદ્રીયગછમાં વાદિવેતાલ શાંતિસૂરિ થયા. તેઓ ચંદ્રકુલના થારાપદ્રગચ્છના આ૦ જયસિંહરિના શિષ્ય હતા. તેઓ મહાતાર્કિક આ૦ અભયદેવસૂરિ પાસે ન્યાય ભણ્યા હતા અને આ સર્વદેવસરિ પાસે આગમ ભણ્યા હતા. તેમણે આ૦ ગુણસેનસૂરિના કહેવાથી પાટણમાં ભિલ્લમાલવંશીય મંત્રી શાંતુની વસતીમાં રહી “ઉત્તરાધ્યયનસૂત્ર-ટીકા બનાવી અને અંગવિજા'ને ઉદ્ધાર કર્યો સ્વર્ગ સં. ૧૦૯૬. તેમની પરંપરામાં આ૦ શાંતિસૂરિ થયા. તેમણે આઠ શિષ્યને આચાર્યો બનાવ્યા અને પિતાના ગચ્છનું “પિપ્પલમછ” એવું નામ રાખ્યું (સં. ૧૨૨૨). ચક્રેશ્વરીદેવીએ તેમની પૂજા પ્રવર્તાવી હતી, અને તેમણે સિદ્ધ શ્રાવકને નમસ્કાર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org