________________
૨૨૪
પટ્ટાલી-સરય, ભા. ૧
શાખામાં વિસ્તાર પામેલી છે. જીરાવાલાના દેરાસરમાં વડગચ્છ અને છરાપહલીગચ્છના શિલાલેખો છે.
(૪૨) આ પદ્મપ્રભસૂરિ “ભુવનદીપક'ના કર્તા.(૪૩) આ પ્રસન્નચંદ્રસૂરિ. (૪૪) આ૦ ગુણસમુદ્રસૂરિ સ્વ. સં. ૧૩૦૮.
(૪૫) આ૦ જયશેખરસૂરિ. તેમણે ક્રિોદ્ધાર કર્યો હતો, સંભવ છે કે તેમનાથી “ નાગરીત પા” શાખા ચાલી હશે. (૪૬) આ વસેનસૂરિ. (૪૭) આ૦ હેમતિલકસૂરિ, તેઓ ભાટી રાય અને દુલમીરાયના ગુરુ હતા. (૪૮) આ૦ રત્નશેખરસૂરિ. (૪૯) આ૦ પૂર્ણચંદ્રસૂરિ. (૫૦) આ હેમચંદ્રસૂરિ. (૫૧) આ૦ રત્નસાગરસૂરિ
(૫૨) આ૦ હેમસમુદ્રસૂરિ. આ સમયમાં ઉ૦ પદ્મસુંદર થયા છે, જેમને સમ્રાટ અકબર બહુ માનતો હતો અને જેમને અકબરે ગામ તથા પાલખી આપ્યાં હતાં. તેઓ વિદ્વાન હતા, વાદી હતા. તેમણે “પ્રમાણસુંદર (ન્યાય), રાયમલ્લાન્યુદય મહાકાવ્ય, પાર્શ્વનાથ મહાકાવ્ય, ધાતુપાઠ અને જબૂચરિયં” વગેરે ગ્રંથો બનાવ્યા છે.
(૫૩) હેમરનસૂરિ. (૫૪) સોમરત્નસૂરિ. સં. ૧૫૪૫ થી ૧૫૭૯. (૫૫) રાજરત્નસૂરિ (જયસ્વામ).
(૫૬) ચંદ્રકીર્તિસૂરિ. તેમણે “સારસ્વત-ટીકા, શારદીયનામમાલા, ગીતામણિ (વૈદક) વગેરે ગ્રંથ બનાવ્યા છે.
(૫૭) હર્ષકીર્તિસૂરિ (ઉ. પદ્મચંદ્રજી). તેમણે “સારસ્વત-ટીકા' પ્રથમાશે લખી હતી. . ૧૬૬૮માં “ કલ્યાણ મંદિર સ્તોત્ર-વૃત્તિ, વવકસારોદ્ધાર” વગેરે ગ્રંથો બનાવ્યા છે.
નાગોરી તપગચ્છના જેન ગોત્ર–૧. ગહલાણી, નવલખા, ભૂતેડિયા, ૨. પીપાડા, હીરણ, ગામડ, શીસેદિયા, ૩. લીવાલ, વેગાણી, ૪. હિંગડ, લાંગા, ૫. રામસેની (સેની), ૬ ઝાબક, ઝમ, ૭, છલાણી, છજલાણી, ઘડાવત, ૮. હોરાઉ, કેલાણી, ગોખરૂ, ધરી, ૧૦. જેગડ, ૧૧. કારિયા, સામડા, ૧૨. લોઢા, ૧૩ મૂરિયા, મીઠા, ૧૪. નહાર, ૧૫. જડિયા (“નાગરીત પાના મહાત્માની વહીના આધારે).
૪૮ થી ૫ ને કામ કરાવવાના સં૦ ૧૪૯૨ના શિલાલેખ પ્રમાણે આપ્યો છે. પદાવલીમાં તે (૪૮) આ૦ રત્નશેખર, (૪૯) આ૦ હેમચંદ્ર, (૫૦) આ૦ પૂર્ણચંદ્ર, (૫) આ૦ હેમહંસ, (૫૨) આ૦ રત્નસાગર એ કમ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org